એક નવા શિષ્યએ ગુરુને કહ્યું કે કોઇ એવી રીત જણાવો, જેનાથી હું દરેક પરેશાનીઓ દૂર કરી શકું, ગુરુએ કહ્યું તો ઠીક છે, હું તને એની રીત જણાવી દઇશ, પરંતુ પહેલાં તુ મારી બકરીને બાંધી દે, જાણો પછી શું થયું..

પ્રાચીન લોક કથા પ્રમાણે, પ્રાચીન સમયમાં એક વિદ્વાન સંતના આશ્રમમાં એક નવો શિષ્ય આવ્યો. પહેલાં જ દિવસે શિષ્યએ ગુરુને કહ્યું કે ગુરુજી મને કોઇ એવી રીત જણાવો, જેના દ્વારા હું દરેક પરેશાનીનો ઉકેલ શોધી શકું. હું સફળ વ્યક્તિ બનવા માંગું છું.

ગુરુએ નવા શિષ્યને કહ્યું કે ઠીક છે, હું તને સફળતાનો રસ્તો જણાવી દઇશ, પરંતુ પહેલાં તુ મારી બકરીને બાંધી દે. આ વાત કહીને ગુરુએ બકરીનું દોરડું શિષ્યને પકડાવી દીધું.

બકરી ખૂબ જ આક્રમક સ્વભાવની હતી. તે સંત સિવાય કોઇ અન્યના કાબૂમાં રહેતી નહોતી. શિષ્યએ જેવું દોરડું પકડ્યું બકરી ઉછળ-કુદ કરવા લાગી. નવો શિષ્ય કોશિશ કરવા લાગ્યો કે કોઇ પ્રકારે તેને થાંભલા સાથે બાંધી દે. ઘણી કોશિશ કર્યા પછી પણ શિષ્ય તે બકરીને બાંધી શક્યો નહીં.

જ્યારે શિષ્યને તે સમજાઇ ગયું કે બકરીને સરળતાથી બાંધી શકાશે નહીં ત્યારે તેણે ચતુરાઈથી કામ લીધું. શિષ્યએ પહેલાં બકરીને પકડી અને તેના ચારેય પગ દોરડાથી બાંધી દીધા. તે પછી આરામથી તે બકરીને થાંભલા સાથે બાંધી દીધી.

આ બધું જ સંત જોઇ રહ્યા હતાં. સંત પ્રસન્ન થઇ ગયા અને તેમણે કહ્યું કે તે મગજનો સારો ઉપયોગ કર્યો છે. જો આપણે આ જ રીતે કોઇપણ સમસ્યાના મૂળને જાણી લેશું તો તે સમસ્યા ખૂબ જ સરળતાથી ઉકેલાઇ જશે અને આપણને સફળતા મળી જશે.

બોધપાઠ
સમસ્યા કોઇપણ હોય, જો આપણે તેના મૂળને એટલે તેના કારણને સમજી લેશું તો આપણે તે સમસ્યાનો સરળતાથી ઉકેલ કરી શકીએ છીએ.

આ પણ વાંચજો – વેપારી સમુદ્ર માર્ગે જુદા જુદા દેશોમાં જતો અને માલ વેચતો હતો, તેનો નવો સાથી દરિયાઈ યાત્રા પર જવાથી ડરતો હતો, તેણે જહાજ ચલાવતા વ્યક્તિને પુછ્યું કે તારા ઘરમાં સમુદ્રના કારણે તારા પિતા, દાદા અને પરદાદા મૃત્યુ પામ્યા છે તો તુ કેમ ફરીથી આ કામ કરી રહ્યો છે અને કેમ મુસાફરી પર જઈ રહ્યો છો? જાણો તેણે શું કર્યું..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો