‘તે અર્ધનારીશ્વર રૂપ ધારણ કરે છે, દુઃખ દૂર કરવાના આશીર્વાદ આપે છે. યુવતીઓને પ્રેમ જાળમાં ફસાવે છે અને પછી તેમનું શારીરિક શોષણ કરે છે.’ પીડિતાએ જ્યારે પોલીસ (Police)ને પોતાની આપવીતી જણાવી તો તેઓ પણ હેરાન રહી ગયા. કાયદાકીય પ્રક્રિયા (Legal Process) અને પીડિતાની ફરિયાદ (Complaint) બાદ આરોપી બાબાની વિરુદ્ધ કેસ નોંધીને તેની ધરપકડ કરવામાં આવી છે.
મધ્ય પ્રદેશના નરસિંહપુરમાં એક આવા જ પાખંડી બાબાનો પર્દાફાશ થયો છે. પોલીસે જણાવ્યું કે મૃગેન્ર્બનાથ ધામમાં પાખંડી બાબા અખંડ ચેતન મહારાજ ઉર્ફે આશીષ કશ્યપે ધર્મ અને આસ્થાના નામ પર યુવતીનું શારીરિક શોષણ કર્યું. આરોપી બાબા આશીષ કશ્યપ દુઃખ દૂર કરવાની વાત કહીને શારીરિક શોષણ કરતો હતો.
પોલીસના જણાવ્યા મુજબ, મામલો લગભગ ત્રણ વર્ષ જૂનો છે. યુવતી આટલા વર્ષો સુધી બાબાનો શિકાર થતી રહી. હવે યુવતીએ હિંમત દર્શાવીને આરોપી બાબાની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસનું કહેવું છે કે આવનારા દિવસોમાં ધરપકડ કરાયેલા બાબા સાથે જોડાયેલા વધુ ખુલાસા થઈ શકે છે.
મળતી માહિતી મુજબ, યુવતી અને આરોપી બાબા આશીષ કશ્યપની વચ્ચે થયેલી ચેટ પણ પોલીસના હાથે લાગી છે. તેમાં બાબા યુવતીને આપત્તિજનક વાતો કરી રહ્યો છે. આશ્ચર્યની વાત એ પણ છે કે આશીષ બાબા ધર્મદેવનો નિકટતમ હોવાનું કહેવાય છે. ધર્મદેવ પણ દુષ્કર્મ સહિત ચાર અન્ય કેસોમાં જેલમાં કેદ છે. બંનેની તસવીરો પણ પોલીસના હાથે લાગી છે.
પાખંડી બાબા આ રીતે લોકોને પોતાની તરફ આકર્ષતો હતો
પીડિતાએ પોલીસને જણાવ્યું કે આશીષ અર્ધનારીશ્વરનું રૂપ રાખે છે. તેને મળનારા તેની વાતોમાં આવી જાય છે. ત્યારબાદ તે દરેક સમસ્યાને ખતમ કરવાની વાત પણ કરે છે. તેના હાવભાવ અને વેશભૂષા જોઈ લોકો તેની વાતોમાં આવી જાય છે. પોલીસ હવે ઝીણવટથી તમામ મામલાની તપાસમાં લાગી છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..