COVID-19 જેવી ભયાનક મહામારી વિકરાળ સ્વરૂપ ધારણ કરશે તેવો ખતરો દેખાય તો શું હોસ્પિટલના સંપૂર્ણ સ્ટાફને એકસાથે તહેનાત કરી દેવો જોઈએ? ઈટાલીએ તો આમ જ કર્યું. પરંતુ આ રણનીતિનો સૌથી મોટો ગેરફાયદો એ છે કે, જો કોઈ એક સ્વાસ્થ્યકર્મીને કોરોના વાયરસનું સંક્રમણ થાય તો હોસ્પિટલના બાકીના સ્ટાફને પણ ક્વોરન્ટીનમાં મોકલવો પડે. કારણકે હોસ્પિટલનો દરેક સ્ટાફ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે એકબીજાના સંપર્કમાં આવતો હોય છે. એવામાં હોસ્પિટલમાં સ્ટાફની ખેંચ અનુભવાઈ શકે છે અને આખી હોસ્પિટલ નકામી થઈ જશે. ઈટાલીમાં આ જ થયું છે.
ઈટાલીની આ જ ભૂલમાંથી બોધ લઈને મુખ્ય સરકારી હોસ્પિટલોમાં રોટેશનની ફોર્મ્યુલા અપનાવાઈ છે. જે અંતર્ગત ડૉક્ટરો, નર્સો સહિતના સ્ટાફને ત્રણ ભાગમાં વહેંચી દેવાયો છે. A ગ્રુપ એક અઠવાડિયા સુધી કામ કરશે અને બે અઠવાડિયા સુધી સ્ટેન્ડ બાય રહેશે. આ જ રીતે B અને C ગ્રુપ સાથે પણ થશે. આ ફોર્મ્યુલા અપનાવનારી હોસ્પિટલોમાં દિલ્હી, જોધપુર અને ભોપાલની AIIMS, દિલ્હીની સફદરજંગ અને લોકનાયક હોસ્પિટલનો સમાવેશ થાય છે.
એક અધિકારીએ જણાવ્યું કે, આ રણનીતિથી જો કોઈ એક ગ્રુપ પર સંક્રમણનું જોખમ ઊભું થયું તો પણ બે ગ્રુપ તૈયાર હશે. દિલ્હી એમ્સના ડાયરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાએ કહ્યું, “આ ફોર્મ્યુલા હોસ્પિટલોમાં સામાજિક અંતર સુનિશ્ચિત કરે છે. આનાથી આપણી તૈયારીનું સ્તર ઊંચું ઉઠે છે અને પર્સનલ પ્રોટેક્ટિવ ઈક્વિપમેન્ટ (PPE) જેવા મહત્વપૂર્ણ સંસધનો સુરક્ષિત થાય છે.”
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો
ડૉ. ગુલેરિયાની વાતનું સમર્થન કરતાં ભોપાલ એમ્સના ડાયરેક્ટર ડૉ. સરમન સિંહે કહ્યું, “અમે પણ કોવિડ-19ના દર્દીઓની સારવાર કરતાં તબીબો માટે આ પ્રકારની વ્યવસ્થા કરી છે.” જોધપુર એમ્સ તરફથી જાહેર કરાયેલા આદેશ મુજબ, “ડિપાર્ટમેન્ટ હેડ ઈચ્છે ત્યારે કર્મચારીઓની ઉપલબ્ધતા માટે આ પ્રકારની વ્યવસ્થા કરી શકે છે. જેથી વર્કપ્લેસ પર 30 ટકા અથવા જરૂર પ્રમાણેનો સ્ટાફ હાજર હોય.”
લોકનાયક હોસ્પિટલના કાર્યકારી પ્રમુખ ડૉ. જેસી પાસીએ જણાવ્યું કે, તેમણે પણ આ જ પ્રકારની વ્યવસ્થા કરી છે. હોસ્પિટલમાં હાલ કોરોના વાયરસના 6 દર્દીઓ દાખલ થયેલા છે. આમ તો હોસ્પિટલમાં PPEનો પૂરતો જથ્થો છે પરંતુ ભવિષ્યમાં અછત સર્જાઈ શકે છે કારણકે પૂરતા ઓર્ડર મુજબ ઉત્પાદન થતું નથી. દેશભરની ઘણી હોસ્પિટલમાં આ પ્રકારની સમસ્યા છે. પટણાની નાલંદા મેડિકલ કોલેજ અને હોસ્પિટલના એક સીનિયર ડૉક્ટરે જણાવ્યું કે, WHOએ સૂચવેલા Hazmat સૂટ ઉપલબ્ધ નથી. કોવિડ-19ના દર્દીઓની સારવાર કરતાં ડૉક્ટરોએ આ સૂટ પહેરવો જરૂરી છે.
સ્વાસ્થ્ય નિષ્ણાતોનું કહેવું છે કે, ભારતે એ દેશોમાંથી શીખવું જોઈએ જ્યાં કોવિડ-19ની મહામારીએ ઘણા લોકોના જીવ લીધા છે. આમાંથી મેડિકલ ક્ષેત્રે જોડાયેલા કર્મચારીઓ પણ બાકાત નથી. ઉદાહરણ તરીકે ઈટાલીમાં 45 ડૉક્ટરોના કોરોનાના લીધે મોત થયા છે. ઈટાલિયન નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ હેલ્થ પ્રમાણે, ઈટાલીમાં મહામારી શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં 6 હજાર સ્વાસ્થ્યકર્મીઓ સંક્રમિત થયા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..