નિયંત્રણ રેખા પર બરફ પીગળ્યા બાદ આતંકવાદીઓને ઘૂસણખોરી કરાવવાનો પ્રયાસ કરી રહેલી પાકિસ્તાની સેનાને ભારતીય સેનાના જવાનોએ જડબાતોડ જવાબ આપ્યો છે. કુપવાડામાં આતંકી ઘૂસણખોરીનો પ્રયાસ કરાવી રહેલા પાકિસ્તાન વિરુદ્ધ મોટી કાર્યવાહી કરતા ભારતીય સેનાએ એન્ટિ ટેન્ક મિસાઈલ એટેક દ્વારા ઘણી ફૉરવર્ડ પોસ્ટ નષ્ટ કરી છે. એવું જાણવા મળ્યું છે કે આ કાર્યવાહીમાં પાકિસ્તાનના ઘણાં સૈનિકોના મોત થયા છે. ભારતીય સેનાએ પોતાના આ ઑપરેશનની જાણકારી આપતા તેનો એક વિડીયો પણ જાહેર કર્યો છે.
#WATCH Indian Army Sources: Army troops recently used anti-tank guided missiles & artillery shells to target Pakistan Army positions opposite the Kupwara sector. This was in response to frequent ceasefire violations by Pakistan to push infiltrators into Indian territory in J&K. pic.twitter.com/oHuglG0iQL
— ANI (@ANI) March 5, 2020
બીજી બાજુ, પાકિસ્તાન તરફથી ગત દિવસો દરમિયાન સતત નિયંત્રણ રેખા પર ભારે ગોળીબાર કરતા સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું હતું. મિલિટ્રી ઈન્ટેલિજન્સને હાલમાં જ આ વાતના ઈનપુટ્સ મળ્યા હતા કે પાકિસ્તાની સેના નોર્થ કાશ્મીર અને કેજી સેક્ટરના કેટલાંક વિસ્તારોમાં ઘૂસણખોરીનું ષડયંત્ર રચી રહી છે. ભારતીય સેનાના જવાનો સતત એલઓસી અને સીમા સાથે જોડાયેલા વિસ્તારો પર નજર રાખી રહ્યા હતા. આ દરમિયાન કુપવાડામાં પાકિસ્તાન રેંજર્સે સતત એલઓસી પર ભારે ગોળીબાર અને ગોળાબારી કર્યા બાદ ભારતીય સેનાએ એન્ટિ ટેન્ક મિસાઈલનો ઉપયોગ કરતા જડબાતોડ વળતો પ્રહાર કર્યો.
સૂત્રોના જણાવ્યા મુજબ ભારતીય સેનાની આ જડબાતોડ કાર્યવાહીમાં પાકિસ્તાન રેંજર્સ અને આર્મીના ઘણાં જવાનોના મોત થયા છે. પાકિસ્તાનની 3-4 પોસ્ટ્સને ભારે નુકસાન થયું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..