સુરતના વરાછા વિસ્તારમાં કળયુગી પુત્રવધુએ સાસુની હત્યા કરી નાખી, પોલીસે હત્યાનો ગુનો નોંધી અટકાયત કરી

સુરતના વરાછા વિસ્તારમાં આવેલી પરિમલ સોસાયટીમાં હત્યાની ઘટના સામે આવી હતી. પરિમલ સોસાયટીમાં ઘર નંબર 59માં રહેતા અને હીરાનું કામ કરતા સંદીપ સરવૈયાના આજથી ચાર વર્ષ પહેલા સોશિયલ મીડિયાના માધ્યમથી પરિચિય થયા હતા અને આસામ ખાતે રહેતી દીપિકા માન્ડલ સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો.

ત્યાર બાદ બંનેના ચાર વર્ષ પહેલા પ્રેમ લગ્ન થયા હતા. તેમને સંતાનમાં એક બાળક છે. સંદીપ પોતાના પરિવાર સાથે વરાછા વિસ્તારની પરિમલ સોસાયટીમાં રહે છે. લગ્ન જીવન ખુશહાલ ચાલી રહ્યું હતું તેવામાં સંદીપનો સાળો દિપોકર આસામથી સુરત ખાતે આવ્યો હતો અને તેના બનેવી અને બહેનની સાથે રહેતો હતો. તેવામાં દિપોકર અને દીપિકાને આસામ ખાતે જવાની જીદ પકડી હતી અને આ મામલે ઘરમાં રકઝક ચાલતી હતી.

તેવામાં રાત્રીના સમયે બંને ભાઈ-બહેન આસામ જવા માટે નીકળ્યા હતા. તેવામાં તેમના સાસુ વિમળાબેન સરવૈયા જાગી જતા, તેમને બુમાબુમ કરી હતી. જોકે ભાઈ બહેને સાથે મળી વિમળા બેનનું મોં દબાવી રાખ્યું જેથી અવાજ ના કરી શકે અને ત્યાર બાદ બંનેએ મળી વિમળાબેનનું ગળું દબાવી હત્યા કરી નાખી હતી.

હત્યા કર્યા બાદ બંને ભાઈ બહેન ઘરેથી ભાગી નિકળ્યા હતા. હત્યાની જાણ ઘરના મોભી જીણાભાઈને થતા તેમણે તેના પુત્ર સંદીપને ફોન કરી જાણ કરી હતી. સંદીપે તાત્કાલિક રેલવે સ્ટેશન પહોંચી ગયો હતો, જ્યાં આ બને ભાઈ બહેન મળી આવ્યા હતા અને ત્યાંથી તેમને પકડી પાડી વરાછા પોલીસે બને ભાઈ બહેન વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી અટકાયત કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો