કોરોનાને લઈને મુંબઈના લોકો માટે એક સારી ખબર આવી છે. સ્લમ વિસ્તારમાં રહેતા 57% લોકોમાં કોરોના સામે લડવાવાળી એન્ટીબોડી ડેવલપ થઈ હોવાનું સામે આવ્યું છે. એનો મતલબ એવો કે આ લોકોને કોરોના વાયરસનો ચેપ લાગ્યા પછી તે એની મેળે મટી પણ ગયો અને તેમને ખબર પણ ના પડી. BMC અધિકારીઓએ આ બાબતને સકારાત્મક પરિવર્તન ગણાવ્યું છે. તજજ્ઞોના જણાવ્યા પ્રમાણે, હાલની સ્થિતિમાં એન્ટિબોડી બનવાની સાથે લાંબો સમય સુધી તે શરીરમાં રહે તે જરુરી છે. માટે તેમણે સમયાંતરે તપાસને જરુરી અને મહત્વની ગણાવી છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
સીરો સર્વેમાં મહત્વના મુદ્દા સામે આવ્યા
કોરોના વાયરસના પ્રસાર અને લોકોમાં તેનાથી બચવા માટે બનતી ઈમ્યુનિટીને ચકાસવા માટે BMC દ્વારા ટાટા ઈન્સ્ટિટ્યુટ ઓફ ફંડામેન્ટર રિસર્ચ અને નીતિ આયોગ સાથે મળીને 6,936 લોકોનો સીરો સર્વે કર્યો. આ સર્વેમાં ઘણાં જ મહત્વના મુદ્દા સામે આવ્યા છે.
સ્લમમાંથી લેવાયા હતા 4000 સેમ્પલ
આ સર્વે BMCના 3 વોર્ડ્સ – R/N, M/W અને F/Nમાં કરાયો હતો. સર્વેમાં સ્લમ અને નોન સ્લમમાં રહેતા લોકોનો સમાવેશ કરાયો હતો. રિપોર્ટ મુજબ સ્લમમાં રહેતા લગભગ 4000 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમાંથી 57% લોકોમાં કોરોના પ્રત્યે એન્ટીબોડી મળી. સ્લમની બહાર રહેતા લગભગ 3000 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા જેમાં 16% એન્ટીબોડી મળી હતી.
વિકસિત થઈ રહી છે હર્ડ ઈમ્યુનિટી
આ વોર્ડ્સમાં ઓગસ્ટમાં ફરી સર્વે કરવામાં આવશે. આ સર્વે દ્વારા લોકોમાં વિકસિત થઈ રહેલી હર્ડ ઈમ્યુનિટીને પણ સમજવામાં મદદ મળી શકે છે. સ્લમ વિસ્તારમાં હર્ડ ઈમ્યુનિટી વિકસિત થઈ રહી હોય તેવા લક્ષણો જોવા મળી રહ્યા છે. જેમાં કોરોના સામે એવું રક્ષણ મળી શકે છે કે કોરોના થાય છતાં તેનાથી શરીરને એટલું નુકસાન નથી થતું જેટલું સામાન્ય રીતે દર્દીઓમાં જોવા મળ્યું છે.
આ વિશે BMCનું શું માનવું છે?
BMCના એડિશનલ મ્યુનિસિપલ કમિશનર સુરેશ કાનાણીએ ઓગસ્ટ મહિનામાં ફરી સીરો સર્વે કરવાની વાત કરી છે ત્યારે ઈન્ફેક્શન સ્પેશિયાલિસ્ટ ડૉ. ઓમ શ્રીવાસ્તવ જણાવે છે કે, એ જાણકારી રાખવી જરુરી છે કે એન્ટિબોડી ક્યાં સુધી તેમના શરીરમાં રહેશે. માટે કેટલાક સમય પછી તેમની ફરી તપાસ થવી જોઈએ. મહત્વનું છે કે, ઈમ્યુનિટી સારી ના હોય તેવી વ્યક્તિના શરીર પર કોરોના વાયરસથી ઝડપી અને ખરાબ અસર કરે છે જેના કારણે વ્યક્તિનું મૃત્યું થાય છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..