કોરોનાની મહામારીના કારણે લોકો ઘરમાં પૂરાતા પૃથ્વી પર હવા-પાણી સુધર્યા અને પ્રદૂષણ પણ ઘટ્યું

દુનિયા કોરોના વાયરસ સામે લડી રહી છે. દરેક ઉપાય આ વાયરસ સામે નકામા સાબિત થઈ રહ્યા છે. લોકોએ પોતાને ઘરની અંદર બંધ કરી લીધા છે. ટુરિસ્ટ પ્લેસ, જિમ, મોલ, સ્કૂલ, કોલેજ, સિનેમા હોલ અને બજારો ખાલીખમ થઈ ગયા છે. દુનિયામાં ભલે ઠેર ઠેર કોરોનાના ભયના કારણે શહેરો વેરાન બન્યા હોય, પરંતુ તેનો સકારાત્મક પ્રભાવ ઇટલીના વેનિસ જેવા શહેરમાં દેખાવા લાગ્યો છે. વેનિસ ટુરિસ્ટોની ખૂબ ફેવરિટ જગ્યા છે. આખું વર્ષ અહીં પ્રવાસીઓની ભીડ રહે છે. જોકે આજકાલ ભેંકાર દેખાતા વેનિસમાં હવે નહેરોનું પાણી એકમદ શુદ્ધ થઈ ગયું છે. પાણી એટલું શુદ્ધ થઈ ગયું છે કે અંદર તરતી માછલીઓ સ્પષ્ટ જોઈ શકાય છે. હવા પણ શુદ્ધ થઈ ગઈ છે. સોશિયલ મીડિયામાં આ તસવીરો અહેવાલ સાથે ફરતી થઈ છે.

તો શું પ્રકૃતિ પોતાની સાફ સફાઈ કરી રહી છે ?

એક યુઝર કાવેરીએ 17 માર્ચે ટ્વિટ કર્યું કે ‘માહામારીના આ પ્રભાવ અંગે કોઈએ વિચાર્યું નહીં હોય. પહેલીવાર વેનિસની નહેરોમાં પાણી એટલું ચોખ્ખું થયું છે કે નીચે તરતી માછલી સ્પષ્ટ દેખાય છે. હંસો પણ પરત આવી ગયા છે.’

તો કોઈ એક યુઝરે બીજી એક ટ્વિટ કરતા લખ્યું કે ઈટલીના દરિયા કિનારા શાંત થતા ડોલ્ફિન્સ પણ કિનારા પાસે પરત ફરી છે. આ ટ્વિટ્સને 3 હજાર કરતા વધુ લોકોએ કોમેન્ટ આપી છે. 7 લાખ 83 હજાર લાઈક મળ્યા છે જ્યારે 2 લાખ લોકોએ તેને રિટ્વિટ કરી છે.

તો કોઈ યુઝરે લખ્યું પ્રકૃતિ આપણા વગર જ સુંદર રહી શકે છે.

જ્યારે અન્ય એક યુઝરે કહ્યું કે કુદરત પોતાની વસ્તુઓ પાછી લઈ રહી છે. જેને માણસોએ પોતના અતિક્રમણથી ખરાબ કરી દીધી હતી તેને પ્રકૃત્તિ શુદ્ધ કરી રહી છે.

ખુદ વેનિસ સિટીના મેયરના પ્રવક્તાએ પણ સ્વિકાર્યું કે નહેરોમાં પાણી સ્વચ્છ થઈ ગયું છે. તેમણે ક્હયું કે, ‘નહેરોમાં ટ્રાફિક હવે નહિવત છે. જેના કારણે નહેરોના રહેલો કાદવ સાવ નીચે બેસી ગયો છે. જ્યારે નહેરોમાં ઘણી બોટ ચાલે છે ત્યારે આ કાદવ ઉપર આવી જાય છે તેના કારણે પાણી ખરાબ થાય છે. જોકે જ્યારથી લોકોએ પોતાને ઘરમાં જ બંધ કરી દીધા છે ત્યારથી હવા પણ ઘણી શુદ્ધ થઈ ગઈ છે.’

એક અન્ય યુઝરે લખ્યું કે, માહામારીની આ અજાણી બાજુ છે. પાણી શુદ્ધ થઈ રહ્યું છે. હવા શુદ્ધ થઈ રહી છે. મને લાગે છે કે જ્યારે આ બધુ ખતમ થશે ત્યારે લોકો સમજશે કે પ્રકૃત્તિ આપણને શું સમજાવી રહી છે આ વાતને ધ્યાને રાખીને ભવિષ્યમાં લોકો પ્રકૃતિને બચાવતા બનશે તેવી આશા છે.

એટલું જ નહીં નાઈટ્રોજન ડાયોક્સાઇડ પણ ઘટ્યો

સેટેલાઇટ દ્વારા લેવામાં આવેલ તસવીરોમાં પણ ઇટલીમાં છેલ્લા થોડા દિવસોમાં પ્રદૂષણ સ્તર ઘટ્યું હોવાનું સ્પષ્ટ સામે આવ્યું છે. યુરોપિયન સ્પેસ એજન્સી મુજબ કોવિડ-19ના કારણે સમગ્ર દેશમાં થયેલા લોકડાઉનથી નાઈટ્રોજન ડાયોક્સાઇડના ઉત્સર્જનમાં ઘણો ઘટાડો થયો છે. તમે પણ આ વીડિયોમાં સકારાત્મક ફેરફાર જોઈ શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો