ગુજરાતમાં સ્મશાનોમાં અગ્નિ સંસ્કાર માટે લાગી લાંબી લાઈનોઃ સુરતમાં ખુલ્લા પ્લોટમાં ચિતાઓ સળગાવાઈ

ગુજરાતમાં કોરોનાનો કેટલો હાહાકાર છે તે સ્મશાનગૃહોની સ્થિતિ જોઈને સમજી શકાય છે. રાજ્યના ચાર મોટા શહેરોમાં કોરોનાની પરિસ્થિતિ બદથી બદતર થઈ રહી છે અને મૃતદેહોના અગ્નિ સંસ્કાર માટે પણ લાંબી લાઈનો લાગી રહી છે. સુરત, અમદાવાદ, વડોદરા અને રાજકોટમાં સ્મશાનમાં અગ્નિ સંસ્કાર માટે લાંબી લાઈનો લાગે છે. સુરતમાં તો સ્મશાનમાં લાંબુ વેઈટિંગ હોવાથી કેટલાક મૃતદેહોને બારડોલી લઈ જવામાં આવ્યા હતા.

જોકે, શનિવારે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલો સત્તાવાર મૃત્યુઆંક 49 છે. જેના કારણે રાજ્યમાં કોરોનાથી થયેલો મૃત્યુઆંક 4,746 પર પહોંચી ગયો છે. છેલ્લે 5 મે 2020ના રોજ ગુજરાતમાં એક જ દિવસમાં 49 લોકોના મોત થયા હતા અને ત્યારે પ્રથમ લહેર તેની ટોચ પર હતી.

કોરોના પહેલા સુરતમાં રામનાથ ઘેલા સ્મશાનગૃહ, ઉમરા અને કુરુક્ષેત્ર સ્મશાનગૃહ, જહાંગીરપુરામાં દૈનિક 20 જેટલા મૃતદેહો આવી રહ્યા હતા પરંતુ છેલ્લા બે સપ્તાહમાં 80 જેટલા મૃતદેહો આવ્યા હતા. અશ્વિની કુમાર સ્મશાનગૃહ સુરતનું સૌથી મોટું સ્મશાન છે જ્યાં 30થી વધારે મૃતદેહો આવતા હતા પરંતુ હવે ત્યાં દરરોજ 110 મૃતદેહોની અંતિમક્રિયા કરવામાં આવી રહી છે. આ સ્મશાનમાં ગેસની નવ ભઠ્ઠી કાર્યરત છે અને ચાર લાકડા દ્વારા કરવામાં આવતી અંતિમક્રિયા માટેના સ્ટેન્ડ છે.

બીજી તરફ વિજય રૂપાણીએ શનિવારે તે વાતને ફગાવી દીધી હતી કે સરકાર દ્વારા કોરોનાથી થતાં મૃત્યુઆંક છૂપાવવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે, આઈસીએમઆરની ગાઈડલાઈન પ્રમાણે જો કોઈ રોગ ધરાવતો દર્દી મૃત્યુ પામે છે ત્યારે નિષ્ણાંતોની કમિટી મૃત્યુનું પ્રાઈમરી અને સેકન્ડરી કારણ નક્કી કરે છે. જો કમિટી નક્કી કરે છે કે મૃત્યુનું કારણ હાર્ટ એટેક છે અને જો દર્દી કોરોનાગ્રસ્ત હોય તો પણ તેને કોવિડ-19થી થયેલું મૃત્યુ ગણાતું નથી. સમગ્ર દેશમાં આ જ સિસ્ટમનું પાલન કરવામાં આવે છે.

આ દરમિયાન અશ્વિની કુમાર સ્મશાનગૃહમાં અંતિમક્રિયા માટે મૃતદેહોની લાગેલી લાઈનોના વિડીયો વાઈરલ થયા બાદ અંતિમક્રિયા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવાને લઈને સરકાર દબાણમાં આવી ગઈ છે. જેના કારણે રામનાથ ઘેલા સ્મશાનગૃહની બાજુમાં આવેલા ગ્રાઉન્ડને સ્મશાનગૃહ તરીકે ઉપયોગમાં લેવામાં આવી રહ્યું છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમો દ્વારા ત્યાં લાઈટના થાંભલા લગાવવામાં આવ્યા હતા તથા તાત્કાલિક અન્ય માળખુ ઊભું કરવામાં આવ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો