ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના નવા 376 કેસ, 23 મોત અને 410 દર્દી ડિસ્ચાર્જ થયા, રાજ્યમાં કુલ 15205 કેસ, કુલ મૃત્યુઆંક 938 થયો

ગુજરાતમાં કોરોના સંકટ દિવસને દિવસે ઘેરાતું જાય છે. તો અમદાવાદમાં સ્થિતિ આકરાપાણીએ છે કારણ કે રાજ્યના 80 ટકા કેસ અહીં નોંધાયા છે. આ સાથે જ છેલ્લા 7 દિવસમાં દર 24 કલાકે એક વ્યક્તિનું કોરોનાને કારણે મોત થયું હોય તેવું એક અભ્યાસમાં સામે આવ્યું છે. આ તમામ બાબતો વચ્ચે સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કેટલા કેસ નોંધાયા તે અંગેની માહિતી રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે આપી હતી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

આરોગ્ય વિભાગે સત્તાવાર રીતે જાહેર કરેલ પ્રેસનોટ પ્રમાણે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કુલ 376 નવા કોરોના વાયરસના કેસ નોઁધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 15,205 થઇ છે.

અમદાવાદમાં કોરોનાના નવા 327 કેસ નોંધાયા

અમદાવાદમાં સૌથી વધુ 327 કેસ નોંધાયા છે તો સુરતમાં છેલ્લા 24 કલાકમાં 30 કેસ કોરોના વાયરસના નોંધાયા છે. આ સાથે જ છેલ્લા 24 કલાકમાં 410 દર્દીઓ કોરોના વાયરસના ભરડામાંથી મુક્ત થતાં તેમની સારવાર બાદ દવાખાનામાંથી રજા આપવામાં આવી છે. ત્યારે અત્યાર સુધીમાં સમગ્ર રાજ્યમાં કુલ 7547 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે.

રાજ્યના વિવિધ જિલ્લામાં નોંધાયેલા કોરોનાના કેસની વિગત

અમદાવાદ 256
સુરત 34
વડોદરા 29
ગાંધીનગર 5
મહિસાગર 14
વલસાડ 10
કચ્છ 2
નવસારી 4
પાટણ 2
રાજકોટ 3
સુરેન્દ્રનગર 6
આણંદ 2
ભાવનગર 1
મહેસાણા 1
પંચમહાલ 1
બોટાદ 1
છોટા ઉદેપુર 1
પોરબંદર 1
અમરેલી 1
અન્ય રાજ્ય 2
કુલ 376

24 કલાકમાં રાજ્યમાં મૃત્યુ પામેલ દર્દીઓની વિગત

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસની સારવાર દરમિયાન અવસાન પામેલા લોકોની વિગત પણ અહીં આપવામાં આવી હતી. જેમાં ગત 24 કલાકમાં  23 દર્દીઓના મોત થયાં છે, આમ અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 938 લોકોના કોરોના બીમારીને કારણે મોત થયાં છે. આ સાથે જ હાલ 92 લોકો વેન્ટિલેટર પર છે તો 6628 લોકો સ્ટેબલ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો