ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ઘટયું: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 996 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 1,60,722 થયો

ગુજરાત (Gujarat)ના નાગરિકો માટે રાહતભર્યા સમાચાર એ છે કે, છેલ્લા 19 દિવસમાં રાજ્યમાં કોરોનાના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં ખુબ જ ઘટાડો થયો છે. રાજ્યમાં આજે તો 1000થી પણ ઓછા કેસ આવ્યા છે. આજે કોરોનાવાયરસ (CoronaVirus)નાં કેસ માત્ર ત્રણ આંકડામાં આવ્યા છે. આજે કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે 996 પોઝિટિવ કેસ (Today 996 Positive Cases of Coronavirus Gujarat) આવ્યા છે. ગુજરાતમાં કોવિડ-19 (Covid-19)ના કુલ કેસોની સંખ્યા વધીને 1,60,722એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ 8 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3646એ પહોંચ્યો છે. જ્યારે 1137 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. ગુજરાત માટે સૌથી મોટા ખુશ ખબર એ છે કે રાજ્યમાં સાજા થવાનો દર 88.85 ટકા છે. ત્યાં જ આજે રાજ્યમાં 52,192 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં રાજ્ય ભરમાં 54,26,621 ટેસ્ટ કરાયા છે.

કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં સુરત કોર્પોરેશન 165, અમદાવાદ કોર્પોરેશન 160, વડોદરા કોર્પોરેશન 70, સુરત 62, રાજકોટ કોર્પોરેશન 56, જામનગર કોર્પોરેશન 45, વડોદરા 42, મહેસાણા 32, રાજકોટ 27, પાટણ 26, ગાંધીનગર કોર્પોરેશન 24, જામનગર 21, કચ્છ 21, અમદાવાદ 18, અમરેલી 18, બનાસકાંઠા 16, ગાંધીનગર 16, સુરેન્દ્રનગર 15, સાબરકાંઠા 14, મોરબી 13, ગીર સોમનાથ 12, જુનાગઢ 12, ભરૂચ 11, જુનાગઢ કોર્પોરેશન 11, પંચમહાલ 10, નર્મદા 9, ખેડા 8, મહીસાગર 8, નવસારી 8, આણંદ 7, દાહોદ 6, વલસાડ 6, ભાવનગર કોર્પોરેશન 5, દેવભૂમિ દ્વારકા 5, તાપી 5, બોટાદ 4, છોટા ઉદેપુર 4, અરવલ્લી 3, ભાવનગર 1, ડાંગ 1 કેસ સામે આવ્યા છે.

આરોગ્ય વિભાગની અખબારી યાદીમાં વિતેલા 24 કલાકમાં અમદાવાદ કોર્પોરેશન 3, સુરત કોર્પોરેશન 2, સુરત 1, વડોદરા 1, વડોદરા કોર્પોરેશન 1 વ્યક્તિએ દમ તોડયો હતો. આમ આજે વિતેલા 24 કલાકમાં કુલ 8 લોકોના મોત નિપજ્યા છે. ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3646એ પહોંચ્યો છે..

ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 1,42,799 નાગરીકો સાજા થઈ ગયા છે. 3646ના અવસાન થયા છે. જ્યારે આજે છેલ્લી સ્થિતિ મુજબ 14,277 સારવાર હેઠળના દર્દીઓ પૈકી 71 વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે અને 14,206 સ્ટેબલ છે.

ફેરિયા, નાના વેપારીએ દર 15 દિવસે ટેસ્ટ કરાવવો પડશે

કોરાના સંક્રમણને અટકાવવા માટે અમદાવાદ મ્યુનિ. દ્વારા ફેરિયા અને નાના વેપારીઓ માટે દર 15 દિવસે કોરોનાનો ટેસ્ટ ફરજિયાત કરતો નિર્ણય લેવામાં આવ્યો છે. જાહેર રોડ પર કે ડોમ બનાવીને કાપડ સહિતની વસ્તુઓનું વચાણ કરનાર તેમજ અન્ય હરતાં ફરતાં ફેરિયાઓએ આ ટેસ્ટ કરાવવો પડશે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો