ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો: આજે કોરોનાનાં 31 કેસો નોંધાયા, આજે એક પણ મોત નહીં, 113 દર્દીઓએ કોરોનાને માત આપી

ગુજરાતમાં કોરોના મહામારીના કેસ સતત ઘટી રહ્યા છે અને રિકવરી રેટ પણ હવે 98.69 ટકાએ પહોંચી ગયો છે. ગુજરાતમાં સતત 50થી પણ ઓછા કેસ નોંધાય રહ્યા છે જે એક રાહતભર્યા સમાચાર છે. આજે કોરોનાનાં નવા 31 પોઝિટિવ કેસ નોંધાયા છે. વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં 113 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. ત્યાં જ આજે રાહતના સમાચાર એ છે કે, આજે કોરોનાથી એક પણ દર્દીનું મોત થયુ નથી. જોકે આરોગ્ય વિભાગ દ્વારા એવી પણ માહિતી આપવામાં આવી છે કે આવતીકાલે રાજ્યમાં રસીકરણ અભિયાન બંધ રહેશે.

અત્યાર સુધીમાં રાજ્યના કુલ 10,074 નાગરિકોનો કોરોના ભરખી ગયો છે. બીજી તરફ આજે વધુ 113 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં સંક્રમિત થયેલા કુલ દર્દીઓમાંથી 8,13,512 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. છેલ્લી સ્થિતિ પ્રમાણે રાજ્યમાં કુલ 719 દર્દી સારવાર હેઠળ છે. નાજુક સ્થિતિના કારણે 06 દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે.

ગુજરાતમાં આજે કોરોનાના નવા 31 કેસ નોંધાયા છે. અમદાવાદ કોર્પોરેશન 9, સુરત કોર્પોરેશન 5, વડોદરા કોર્પોરેશન 4, સુરત 2, ભરૂચ 1, ભાવનગર કોર્પોરેશન 1, દેવભૂમિ દ્વારકા 1, ગીર સોમનાથ 1, જામનગર 1, જામનગર કોર્પોરેશન 1, જૂનાગઢ 1, જૂનાગઢ કોર્પોરેશન 1, કચ્છ 1, રાજકોટ કોર્પોરેશન 1, વડોદરા 1માં 1-1 કેસ નોંધાયા છે.

છેલ્લી સ્થિતિ મુજબ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 719 પહોંચી ગઈ છે. જ્યારે નાજુક સ્થિતિના કારણે કુલ 06 દર્દીઓને હાલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવેલા છે. જ્યારે 713 દર્દીઓ સ્ટેબલ છે. ગુજરાતમાં રિકવરી રેટ હાલમાં 98.69% એ આવી ગયો છે.”

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો