રાજ્યમાં સતત 4 દિવસે 800થી વધુ કેસ, આજે નવા 879 કેસ સાથે કુલ આંકડો 41906, 13 મોત સાથે મૃત્યુઆંક 2047 થયો

ગુજરાતમાં કોરોનાના દર્દીઓના આંકડામાં દિવસેને દિવસે ઉછાળો નોંધાઇ રહ્યો છે ત્યારે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે છેલ્લા 24 કલાકમાં સમગ્ર રાજ્યમાં નોંધાયેલા કોરોના વાયરસના કેસની માહિતી આપી હતી. ગુજરાતમાં અત્યાર સુધીનો કોરોના વાયરસનો એક દિવસનો રેકૉર્ડ તૂટ્યો છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલ નવા કેસના આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 879 કેસ નોંધાયા છે. આ સાથે જ કુલ દર્દીઓનો આંકડો 41,906 પર‬ પહોંચ્યો છે. તો કોરોનાથી રાજ્યનો મૃત્યુઆંક 2047 પર પહોંચ્યો છે.

આરોગ્ય વિભાગની માહિતી અનુસાર છેલ્લા 24 કલાકમાં 513 દર્દીઓ સાજા થયાં છે. આમ અત્યાર સુધીમાં કુલ 29,189 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે જેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કોરોનાને કારણે ગત 24 કલાકમાં 13 દર્દીના મોત નિપજ્યા છે. આમ અત્યાર સુધીમાં 2047‬ દર્દીઓના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

મહત્વનું છે કે, અનલૉક બાદ ગુજરાતમાં દિવસેને દિવસે કોરોના વાયરસના દર્દીઓનો આંકડો સતત વધી રહ્યો છે. ત્યારે અનલૉક બાદ આજે ગુજરાતના સૌથી વધુ કેસ 875 કેસ નોંધાતા ચિંતામાં વધારો થયો છે. આપને જણાવી દઇએ કે, 9 જુલાઇના રોજ પ્રથમ વખતા 861 કેસ નોંધાયા હતા તો ગઇકાલે શુક્રવારે એટલે કે 10 તારીખે 875 કેસ તો 12 તારીખે 872 કેસ અને આજે સતત ચોથા દિવસે 879 કેસ નોંધાયા છે.

સુરતમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. અમદાવાદ બાદ સૌથી વધુ સુરતમાં કેસ નોંધાઇ રહ્યા છે. આજે સુરતમાં 251 નવા કોરોનાના કેસ નોંધાયા છે. જેમાં સુરત કોર્પોરેશનમાં 205 અને સુરત જિલ્લામાં 46 કેસ નોંધાયા છે. આ સાથે સુરતમાં કોરોનાનો કુલ આંકડો 7,828 પર પહોંચ્યો છે. સુરતમાં આજે 138 દર્દીઓ સ્વસ્થ થયા છે. જેથી કુલ સ્વસ્થ થયેલા દર્દીનો આંકડો 4,843 પર પહોંચ્યો છે. તો આજે સુરતમાં 3 દર્દીઓના મોત થયા છે. આ સાથે સુરતમાં અત્યાર સુધીમાં 215 દર્દીના મૃત્યુ થયા છે.

છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 172 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 152 અને અમદાવાદ જિલ્લામાં 20 કેસ નોંધાયા છે. આ સાથે અમદાવાદમાં કોરોનાનો કુલ આંકડો 23,095 પર પહોંચ્યો છે. અમદાવાદમાં આજે 133 દર્દીઓ સ્વસ્થ થયા છે. જેને લઇને કુલ સ્વસ્થ થયેલા દર્દીઓનો આંકડો 17,818 પર પહોંચ્યો છે. અમદાવાદમાં આજે 4 દર્દીઓના મોત થયા છે, જેની સાથે અમદાવાદનો કોરોનાથી મૃત્યુઆંક 1521 પર પહોંચ્યો છે. હાલ અમદાવાદમાં 3756 એક્ટિવ કેસ છે.

કોરોના વાયરસના કેસની વિગત

12/07/2020 પોઝિટિવ કેસ
અમદાવાદ 172
સુરત 251
વડોદરા 75
ગાંધીનગર 29
ભાવનગર 46
બનાસકાંઠા 13
આણંદ 11
રાજકોટ 46
અરવલ્લી 2
મહેસાણા 23
પંચમહાલ 10
બોટાદ 5
મહીસાગર 1
ખેડા 16
પાટણ 4
જામનગર 6
ભરૂચ 14
સાબરકાંઠા 3
ગીર સોમનાથ 6
દાહોદ 9
છોટા ઉદેપુર 3
કચ્છ 7
નર્મદા 0
દેવભૂમિ દ્વારકા 0
વલસાડ 16
નવસારી 11
જૂનાગઢ 42
પોરબંદર 0
સુરેન્દ્રનગર 21
મોરબી 19
તાપી 2
ડાંગ 0
અમરેલી 16
અન્ય રાજ્ય 0

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો