ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ઘટયું: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 615 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 2,52,559 થયો

ગુજરાત (Gujarat)માં કોરોના મહામારીની (Corona Epidemic) સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચ્યા બાદ હવે કોરોના વાયરસ (CoronaVirus)ના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં ગત કેટલાક દિવસથી સતત ઘટાડો થઇ રહ્યો છે જે એક રાહતના સમાચાર છે. આગામી 16 જાન્યુઆરીથી આખા દેશમાં રસીકરણ શરૂ થઇ જશે. જોકે રસીકરણ પહેલા જ કોરોના મહામારીનો આંકડો સતત ઘડી રહ્યો છે. આજે કોરોનાનાં ચેપના ફેલાવાના ગ્રાફમાં 615 પોઝિટિવ કેસ આવ્યા છે (Today 615 Corona Positive Case In Gujarat). જ્યારે રાજ્યમાં વધુ 3 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 4347 એ પહોંચ્યો છે. જ્યારે 746 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. જોકે ગુજરાતમાં સાજા થવાનો દર ધીરે ધીરે વધી રહ્યો છે અને 95.23 ટકાએ પહોંચ્યો છે. ત્યાં જ આજે રાજ્ય સરકાર દ્વારા કેટલા ટેસ્ટ કરવામાં આવ્યા હતા તેની આરોગ્ય વિભાગે જાણકારી આપી નથી. કોરોનાના કારણે કોરન્ટાઇન કરવામાં આવ્યા હોય તેવા લોકોની સંખ્યા આજની તારીખે 4,84,998 છે, જે પૈકી 4,84,883 વ્યક્તિઓ હોમ ક્વોરન્ટાઇન છે અને 115 વ્યક્તિઓને ફેસિલિટી ક્વોરન્ટાઇનમાં રાખવામાં આવ્યા છે.

કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં અમદાવાદ કોર્પોરેશન 126, સુરત કોર્પોરેશન 102, વડોદરા કોર્પોરેશન 93, રાજકોટ કોર્પોરેશન 47, સુરત 27, વડોદરા 26, દાહોદ 14, રાજકોટ 13, મહેસાણા 12, ગાંધીનગર કોર્પોરેશન 11, જામનગર કોર્પોરેશન 11, કચ્છ 11, ખેડા 10, આણંદ 9, સાબરકાંઠા 9, ગાંધીનગર 8, નર્મદા 8, બનાસકાંઠા 7, ભાવનગર કોર્પોરેશન 7, જુનાગઢ કોર્પોરેશન 7, મહીસાગર 7, પંચમહાલ 7, ભરૂચ 6, મોરબી 6, જુનાગઢ 4, દેવભૂમિ દ્વારકા 3, ગીર સોમનાથ 3, જામનગર 3, નવસારી 3, સુરેન્દ્રનગર 3, વલસાડ 3, અમદાવાદ 2, અમરેલી 2, અરવલ્લી 1, ભાવનગર 1, બોટાદ 1, છોટા ઉદેપુર 1, તાપી 1 કેસ સામે આવ્યા છે.

કોરોનાની વૈશ્વિક મહામારીથી થતા મૃત્યુમાં હવે તેમા સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. હવે તો રાજ્યમાં મૃત્યુઆંક સિંગલ આંકડામાં આવી રહ્યા છે. આરોગ્ય વિભાગે વિતેલા 24 કલાકમાં સારવાર હેઠળના 3 દર્દીઓના મોત થયાનું સ્વિકાર્યુ છે. જેમા સૌથી વધુ અમદાવાદ કોર્પોરેશનમાં 2 અને સુરત કોર્પોરેશનમાં 1 વ્યક્તિએ દમ તોડયો હતો. આમ આજે વિતેલા 24 કલાકમાં કુલ 3 લોકોના મોત નિપજ્યા છે. ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 4347એ પહોંચ્યો છે.

ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 2,40,517 નાગરીકો સાજા થઈ ગયા છે. 4347ના અવસાન થયા છે. જ્યારે આજે છેલ્લી સ્થિતિ મુજબ 7695 સારવાર હેઠળના દર્દીઓ પૈકી 60 વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે અને 7635 સ્ટેબલ છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો