ગુજરાતના ડાયમંડ સિટીના એક શ્રેષ્ઠ કોરોના વોરિયર એવા તબીબને બચાવવા માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ડો. સંકેત મહેતાએ કોરોનાની સારવાર દરમિયાન પોતાનું ઓક્સિજન માસ્ક કાઢી બીજાનો જીવ બચાવ્યો હતો. જોકે, આ તબીબ ડો. સંકેત આજે છેલ્લા 42 દિવસથી કોરોના અને ત્યારબાદની તકલીફો સામે જંગ ખેલી રહ્યા છે. હવે તો સ્થિતિ ત્યાં સુધી આવી ગઈ કે, આ કોરોના વોરિયર્સને ફેફસાના ટ્રાન્સપ્લાન્ટ માટે ચેન્નઇ લઇ જવામાં આવનાર છે. જોકે, આ પ્રોસિઝર પાછળ એક કરોડ સુધીનો ખર્ચ હોય તબીબી જગત તેમની પડખે ઊભું રહ્યું છે. દરમિયાન ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ દ્વારા પણ સરકારમાં રજૂઆત કરવામાં કરવામાં આવશે.
એક કરોડ સુધીનો ખર્ચ હોય તબીબી જગત તેમની પડખે ઊભું રહ્યું
ડો.સંકેત મહેતા કે જેઓ આઇસીયુમાં ભરતી હતા અને તે દરમિયાન એક દર્દીને વેન્ટીલેટર પર ચઢાવવા માટે પોતાનું હાઇ લેવલનું ઓક્સિજન માસ્ક કાઢીને જાતે ઊભા થઈ બીજા દર્દીનો જીવ બચાવ્યો હતો. આ ઘટના બાદ શ્રેષ્ઠ કોરોના વોરિયર્સ તરીકે જાણીતા ડો. સંકેત આજે છેલ્લાં 42 દિવસથી કોરોના અને ત્યારબાદની તકલીફો સામે જંગ ખેલી રહ્યા છે. છેલ્લાં 25 દિવસથી તેઓ વેન્ટીલેટર પર હતા હવે 22 દિવસથી ઇકમોના સપાર્ટ પર છે. સ્થિતિ ત્યાં સુધી આવી ગઈ કે, હવે આ કોરોના વોરિયર્સને ફેફસાના ટ્રાન્સપ્લાન્ટ માટે ચેન્નાઇ લઇ જવામાં આવનાર છે. અલબત્ત, આ પ્રોસિઝર પાછળ એક કરોડ સુધીનો ખર્ચ હોય તબીબી જગત તેમની પડખે ઊભું રહ્યું છે. દરેક પોતાની શક્તિ અનુસાર આ બહાદુર ડોકટરની મદદ કરી રહ્યા છે. સુરતની જનતા, ઉદ્યોગપતિઓ પણ મદદ માટે સામે આવી રહ્યા છે.
70 વર્ષના દર્દીનો જીવ બચાવવા મદદ કરી હતી
ગત 11 ઓગસ્ટના રોજ એનેસ્થેટીસ્ટ ડો. સંકેત કોરોનામાં આઇસીયુમાં હાઇ ઓક્સિજન પર હતા. ડોકટર સંકેત પોતાની ડયૂટી દરમિયાન જ કોરોના સંક્રમિત થયા હતા. દરમિયાન કોવિડ આઇસીયુમાં એ રાત્રિએ જ્યારે નજીકના એક બેડ પરના 70 વર્ષના દર્દીની તબિયત લથડતા તેને વેન્ટિલેટર પર ચઢાવવાની ફરજ પડી હતી. પરંતુ દર્દીની શ્વાસનળી સાંકળી હોય ઉપસ્થિત ડોકટરના અનેક પ્રયત્નો છતાં દર્દીને વેન્ટિલેટર પર ચઢાવાતો નહતો. ઉપરાંત જે તે સમયે હોસ્પિટલમાં કોઈ એનેસ્થેટીસ્ટ પણ હતા નહીં. અને ગણતરીની મિનિટમાં બીજેથી લાવવા પણ શક્ય નહતા. બીજી તરફ આ દર્દીનું ઓક્સિજન લેવલ સતત ઘટી રહ્યુ હતુ. જરૂરી એ હતુ કે તાત્કાલિક આ દર્દીને વેન્ટીલેટર પર ચઢાવવામા આવે. દરમિયાન, આ દૃશ્ય ડો. સંકેત પણ જોઇ રહ્યા હતા. પરંતુ તેઓ પોતે હાઇ-ફ્લો ઓક્સિજન પર હતા. પરંતુ આખરે જીવ તો ડોકટરનો જ હોય તેઓ ઓક્સિજન સાથે ઊભા થઈ ગયા અને પોતે એનેસ્થેટીસ્ટ પણ હોય તેઓ દર્દી પાસે પહોંચ્યા હતા અને તેને ઇન્ટુબેટ (વેન્ટિલેટર પર ચઢાવી) કરી તેનો જીવ બચાવ્યો હતો.ત્યારે 70 વર્ષીય દર્દીને વેન્ટીલેટર પર ચઢાવવામાં અન્ય તબીબને તકલીફ પડતા પોતાનું ઓક્સિજન કાઢી દર્દીનો જીવ બચાવવામાં મદદ કરી હતી.
તબીબી જગત મદદે
સારવાર માટે ફંડ એકત્રિત કરવા દરેક તબીબ પોતાની શક્તિ મુજબ મદદ કરી રહ્યા છે. ડો. ગામી કહે છે કે, અત્યાર સુધી ફેમિલી મેમ્બર અને તબીબોએ કુલ 35 લાખ ભેગા કર્યા છે. સુરત દાનવીરોનું શહેર હોય લોકો મદદે આવશે એવી આશા છે.
એક્સપર્ટ પાસે સમજો શું હોય છે, લંગ્સ ફાઇબ્રોસિસ
એક્સપર્ટ ડો. સમીર ગામી કહે છે કે, કોરોના બાદ તેઓને લંગ્સ ફાઇબ્રોસિસ થતા પહેલાં વેન્ટીલેટર પર હતા, પછી ઇક્મોનો સપોર્ટ અપાયો એટલે કે આર્ટિફિશિયલ લંગ્સની સપોર્ટ સિસ્ટમ પર છે. ફાઇબ્રોસિસના લીધે ફેફસા કડક થાય છે. સામાન્ય વ્યક્તિમાં શ્વાસ લેવાથી ફેફસા 300 થી 500ની સિસ્મટ વચ્ચે ફુલે છે ડો. સંકેતના હાલ 40 સુધી જ ફુલે છે. જરૂર પડી તો ફેફસા ટ્રાન્સપ્લાન્ટ કરી શકાય છે. આ સુવિધા મુંબઇ અને ચેન્નાઇમાં જ છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..