રામાનંદ સાગરની ‘રામાયણ’માં સુગ્રીવનું પાત્ર ભજવનાર એક્ટર શ્યામ સુંદરનું નિધન

હાલમાં દૂરદર્શન પર ‘રામાયણ’ સિરિયલ ફરીવાર પ્રસારિત થઈ રહી છે. આ સિરિયલમાં સુગ્રીવ તથા બાલીનું પાત્ર ભજવનાર કલાકાર શ્યામ સુંદર કલાનીનું તાજેતરમાં જ નિધન થયું હતું. સિરિયલમાં રામ બનતા અરૂણ ગોવિલ તથા લક્ષ્મણ બનેલા સુનીલ લહરીએ સોશિયલ મીડિયામાં શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

કેન્સરને કારણે નિધન

શ્યામ સુંદર લાંબા સમયથી કેન્સરથી પીડાતા હતાં. 30 માર્ચના રોજ તેમણે હરિયાણાના કાલકામાં અંતિમ શ્વાસ લીધા હતાં.

અરૂણ ગોવિલે ટ્વીટ કરી

અરૂણ ગોવિલે ટ્વીટ કરીને કહ્યું હતું, શ્યામ સુંદરના નિધનથી આઘાત લાગ્યો. તેમણે રામાનંદ સાગરની ‘રામાયણ’માં સુગ્રીવનો રોલ પ્લે કર્યો હતો. તેઓ ઘણાં જ સારા વ્યક્તિ હતાં. ભગવાન તેમની આત્માને શાંતિ આપે.

સુનીલ લહરીએ પણ શ્રદ્ધાંજલિ પાઠવી

સિરિયલમાં લક્ષ્મણનો રોલ પ્લે કરનાર સુનીલ લહરીએ ટ્વીટ કરીને કહ્યું હતું, સુગ્રીવ તથા બાલીનો રોલ પ્લે કરનાર શ્યામ કલાનીના નિધન પર દુઃખ થયું. પરિવારને ભગવાન આ સંકટની ઘડી સહન કરવાની શક્તિ આપે. તેમના આત્માને શાંતિ મળે.

શ્યામ સુંદરના કરિયરની વાત કરવામાં આવે તો તેમણે ‘જય હનુમાન’માં હનુમાનનો રોલ પ્લે કર્યો હતો. ‘મહાભારત’માં ભીમનો રોલ પ્લે કર્યો હતો. તેમણે ‘હીર રાંઝા’, ‘ત્રિમૂર્તિ’, ‘છૈલા બાબુ’ જેવી ફિલ્મમાં કામ કર્યું હતું.

!! ઓમ શાંતિ !! – કોમેન્ટ બોક્ષ મા લખીને શ્રધ્ધાંજલિ અર્પણ કરીએ….

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો