Browsing category

સમાચાર

મોરબીમાં હચમચાવી નાખતી ઘટના! પરિવાર મુંબઈ લગ્ન પ્રસંગમાં જતાં ધોળા દિવસે ચોરી કરવા ઘુસેલા પડોશીએ વૃદ્ધની હત્યા કરી નાખી

મોરબીમાં લગ્નસરાની સિઝન દરમિયાન એક હચમચાવી નાખતી ઘટના ઘટી હતી. શહેરની આરાધાના સોસાયટીમાં રહેતો એક પરિવાર લગ્ન પ્રસંગે મુંબઈ ગયો હતો ત્યારે ઘરે રોકાયેલા એકલા વૃદ્ધની હત્યા થઈ ગઈ છે. જોકે, ઘટનાની જાણ થતા પાડોશીએ હત્યા કરી નાખી હોવાનું ખુલ્યું હતું જેનું કારણ ખૂબ જ ચોંકાવનારું હતું. મોરબીની આરાધના સોસાયટીમાં થયેલ હત્યા પ્રકરણ મામલે ધોળા […]

અમરેલીમાં SP નિર્લિપ્ત રાયને પડકાર ફેંકનાર છત્રપાલ ન સુધર્યો, હવે બોલ્યો- અમરેલીનો નહીં પણ આખા ગુજરાતનો બાપ…

રાજ્યમાં ક્રાઈમની ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે. અવાર નવાર ચોરી, લૂંટફાટ અને મારામારી જેવી ઘટનાઓ સામે આવે છે. રાજ્યમાં અસામાજિક તત્ત્વો બેફામ બન્યા હોય તેવું લાગી રહ્યું છે. આ કહેવાનું કારણ એ છે કે અમરેલીમાં માથાભારેની છાપ ધરાવતા છત્રપાલ વાળાનો વધુ એક વિવાદ સામે આવ્યો છે. અગાઉ છત્રપાલ વાળા નામનો ઇસમ અમરેલીના SP નિર્લિપ્ત રાયને […]

વધુ એક ભારતીયે વિદેશમાં વગાડ્યો ડંકો: અમેરિકન સ્ટાર્ટઅપ કંપનીની ભારતીય મૂળના CEO પર ધનવર્ષા, રૂ.17500 કરોડનું સેલેરી પેકેજ ઓફર કરાયું

વિશ્વભરમાં ભારતીયોનો ડંકો વાગી રહ્યો છે. વિદેશોમાં ભારતીય મૂળના લોકો દેશનું સતત ગૌરવ વધારી રહ્યા છે, જેમાં તાજેતરમાં જ ભારતીય મૂળના પરાગ અગ્રવાલને ટ્વિટરના સીઈઓ બનાવવામાં આવ્યા બાદ તેઓ ચર્ચામાં આવ્યા હતા. હવે વધુ એક ભારતીય સીઈઓ જગદીપ સિંહની પણ ચર્ચા થઈ રહી છે અને તેનુ કારણ છે તેમનુ પગાર પેકેજ. અમરિકન સ્ટાર્ટ અપ કંપની […]

કુમકુમ સ્વામિનારાયણ મંદિરના મહંત સ્વામી આનંદપ્રિયદાસજી 101 વર્ષની ઉંમરે અક્ષરનિવાસી થયા

શ્રી સ્વામિનારાયણ મંદિર- કુમકુમ, મણિનગરના મહંત તેમજ સાધુતાની મૂર્તિ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી માગશર સુદ પૂનમ ને શનિવારે બપોરે ૨.૦૦ કલાકે ૧૦૧ વર્ષની ઉંમરે સ્વતંત્રપણે મનુષ્યલીલા સંકેલી મૂર્તિનાં સુખે સુખિયા થયા છે. તેમના અંતિમ દર્શન તથા પાલખીયાત્રા સહિતની વિધિ 19 ડિસેમ્બર ને રવિવારના રોજ સવારે 7 વાગ્યાથી કુમકુમ મંદિર, મણિનગર ખાતે જ્યારે અંતિમ સંસ્કાર વિધિ […]

બિહારમાં સબ-રજિસ્ટ્રારના ઘરમાંથી 73 લાખ રોકડા, કરોડોની જમીન-મકાનના દસ્તાવેજ અને 4 વૈભવી કાર મળી

બિહારમાં ભ્રષ્ટ અધિકારીઓ વિરુદ્ધ સ્પેશિયલ વિજિલન્સ યુનિટની કાર્યવાહી સતત ચાલી રહી છે. આ મામલે જ શુક્રવારે આવકથી વધુ સંપત્તિ મામલે બિહારના સમસ્તીપુરના સબ-રજિસ્ટ્રાર મણિ રંજન વિરુદ્ધ દરોડાની કાર્યવાહી કરાઈ હતી. સબ-રજિસ્ટ્રારનાં 3 ઠેકાણે (સમસ્તીપુર, પટના અને મુઝફ્ફરપુર)માં દરોડા દરમિયાન મોટી માત્રામાં રોકડ જપ્ત કરાઈ હતી. તેણે આશરે 1.62 કરોડ રૂપિયાની સંપત્તિ એકઠી કરી હતી, જેમાં […]

દીકરીઓ માટે આંખ ઉઘાડનારો કિસ્સો: પ્રેમી પામવા સગીરા ઘરેથી ભાગી, અંજાર બસ સ્ટેશને 3 કલાક રાહ જોઈ પણ પ્રેમીએ દગો દઈ દીધો

મેડમ, બસ સ્ટેશન જલ્દી આવો, અહીં એક છોકરી સૂનમૂન બેઠી છે, ગભરાયેલી છે, કોઈ તકલીફમાં હોય એવું લાગે છે. આ પ્રકારની મદદ માંગતો કોલ 181 અભયમ ટિમને કોઈ જાગૃત નાગરિકે કર્યો. કોલ મળતા જ 181 ની ટીમ અંજાર બસ સ્ટેશને પહોંચી ગઈ. ટીમના કાઉન્સલર નિરૂપા બારડ અને એએસઆઇ રેણુકાબેનએ જઇને જોયું તો બસ સ્ટેન્ડમાં એક […]

અમદાવાદમાં મહિલા કોન્સ્ટેબલે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી, કેમ આવું પગલું ભર્યુ સામે આવ્યું કારણ..

અમદાવાદના મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલ મનીષાબા વાઘેલાએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. મનીષા બેને ખોખરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોતાના ઘરે આ પગલું ભર્યું છે. આ મામલે જાણ બાદ બન્ને પોલીસ સ્ટેશનના સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરીને લાશને પોસ્ટ માર્ટમ […]

નોર્થ કોરિયાના તાનાશાહનું તઘલખી ફરમાન: 11 દિવસ સુધી હસ્યા કે રડ્યા તો થશે સજા, કારણ આંચકાજનક

સખત કાયદા માટે દુનિયાભરમાં કુખ્યાત એવા ઉત્તર કોરિયાએ આંચકો સર્જાય તેવું વધુ એક ફરમાન જાહેર કર્યું છે. ઉત્તર કોરિયાના તાનાશાહ કિંગ જોન ઉને હવે લોકોના હસવાના કુદરત સહજ અધિકાર પર પ્રતિબંધ ફરમાવી દીધો છે. એટલું જ નહીં, જો કોઈ નાગરિક આ નિયમનું ઉલ્લંઘન કરશે તો તેને સખતમાં સખત સજા આપવાની પણ જોગવાઈ કરવામાં આવી છે. […]

અહો આશ્ચર્યમ: ડૉક્ટરે આ વ્યક્તિના પેટમાંથી 156 પથરી બહાર કાઢી, ડૉક્ટરે પેટ ચીર્યા વગર લેપ્રોસ્કોપી અને એન્ડોસ્કોપી કરી બહાર કાઢી

તેલંગાણાની એક હોસ્પિટલમાં થયેલી સર્જરી હાલ ચર્ચાનું કેન્દ્ર બની છે. ડૉક્ટર્સે એક 50 વર્ષની વ્યક્તિના પેટમાંથી અધધધ 156 કિડની સ્ટોન (પથરી) બહાર કાઢ્યા છે. આટલી મોટી સર્જરી ડૉક્ટરે માત્ર લેપ્રોસ્કોપી અને એન્ડોસ્કોપીથી કરી કાઢી. 156 પથરી હોવા છતાં કોઈ પણ લક્ષણો નહિ આ સર્જરી તેલંગાણાની પ્રીતિ યુરોલોજી એન્ડ કિડની હોસ્પિટલાં થઈ છે. રિપોર્ટ પ્રમાણે આ […]

સરપંચને મત આપવા સુરતમાંથી 50,000થી વધુ મતદારો વતનમાં જશે, 600થી વધુ બસોના બુકિંગ થઇ ચૂક્યા છે

રાજ્યમાં સરપંચની ચૂંટણીને લઇને રાજકારણમાં ગરમાવો આવ્યો છે. સરપંચની ચૂંટણી કોઈ પક્ષ દ્વારા લડવામાં આવતી નથી. પણ સરપંચના પદ માટે ઉમેદવાર કોઈ પણ પક્ષના સમર્થનથી ચૂંટણી લડી શકે છે. એટલે રાજકીય પક્ષ માત્ર સમર્થન આપી શકે છે. તો બીજી તરફ રાજ્યમાં ઘણા ગામડાઓમાં ગ્રામ પંચાયતની ચૂંટણી થવાની નથી કારણ કે આ ગામડાઓમાં ગામમાં લોકોએ ચૂંટણી […]