Browsing category

સમાચાર

8 માસનાં જોડિયાં બાળકોને ઘરે મૂકી લેબ ટેક્નિશિયન PHCમાં ફરજ બજાવી રહી છે, આવા રાષ્ટ્ર સેવકોને સલામ છે

કોરોનાની મહામારી વચ્ચે પોતાના નાનાં સંતાનોને ઘરે મુકી જાનના જોખમે લોકોના સ્વાસ્થય સારું રહે તે માટે રાષ્ટ્ર સેવક કરી રહી છે. જેમાં વાલોડ તાલુકાના કણજોડ ખાતે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતાં 4 મહિલા કર્મચારીઓમાં મહિલા મયુરીબેન જીગરભાઇ જોશી પીએચસીમાં લેબ ટેકનીશ્યન તરીકે છેલ્લાં ચાર વરસથી ફરજ બજાવે છે, તેઓ પુણા પાટીયા સુરત ખાતે રહે […]

હાલોલમાં માનવતાને શર્મસાર કરે તેવો કિસ્સો આવ્યો સામે, લોકડાઉનની જાહેરાત બાદ દીકરી વૃદ્ધ માતાને ઘરમાં પૂરીને જતી રહી, પાણીમાં પૂરી પલાળી ખાતા હતા વૃદ્ધા

કોરોનાની મહામારીના સમયમાં એકબાજુ જ્યાં લોકો મનમૂકીને માનવસેવા કરી રહ્યા છે. ત્યારે હાલોલમાંથી માનવતાને શર્મસાર કરે તેવો એક કિસ્સો સામે આવ્યો છે. લોકડાઉનની જાહેરાત થતાં હાલોલમાં એક દીકરી અને જમાઈ પોતાની વૃદ્ધ માતાને ઘરમાં પૂરી અન્ય શહેરમાં જતા રહ્યા હતા. પાડોશીઓને આ અંગે જાણ થતાં તેઓએ 181 અભયમને ફોન કર્યા હતા. જે બાદ અભયમની ટીમ […]

લૉકડાઉનને કારણે પ્રદૂષણ ઘટતા અમદાવાદમાં 40 ડિગ્રી તાપમાન થવા છતાં ગરમી લાગતી નથી

લૉકડાઉનને પગલે વાહનો અને કારખાનાઓનાં ધુમાડાથી ફેલાતું પ્રદૂષણ ઘટયું છે. જેને પગલે હવામાં ભળતાં અને ગરમી વધારતા ઝેરી ગેસનું પ્રમાણ ઘટ્યુ છે, તેની સાથે વાતાવરણ સૂકું રહેતાં ભેજના પ્રમાણમાં ઘટાડો થતાં બફારામાં ઘટાડો થતાં ગરમીનો પારો 40 ડિગ્રી હોવા છતાં ગરમીની અસર વર્તાતી નથી. પરંતુ, આગામી ચાર દિવસોમાં અમદાવાદ સહિત રાજ્યનાં મોટભાગનાં વિસ્તારોમાં ગરમીનો પારો […]

પોલીસની સૂચના: વોટ્સએપમાં કોરોનાને લગતી ખોટી માહિતી, કે ઉશ્કેરણીજનક વીડિયો પોસ્ટ કરશો કે ફોરર્વડ કરશો તો થશે સજા

કોરોના વાઇરસની મહામારીમાં કેટલાક લોકો સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરે છે. જેથી વોટ્સએપ ગ્રુપના એડમીન અને મેમ્બર માટે અમદાવાદ પોલીસે સૂચના બહાર પાડી છે. વોટ્સએપમાં ખોટી વિગતો, ઉશ્કેરણીજનક મેસેજ વીડિયો, ઓડિયો, પોસ્ટ કરવી નહીં કે ફોરવર્ડ ન કરવી. જો કોઈ આવી વાત ધ્યાને આવે તો પોલીસને જાણ કરવી. કોરોના વાઇરસ અને કોઈ ધર્મ બાબતે અશ્લીલ અને […]

આજે અમદાવાદમાં 23 અને આણંદમાં 3 નવા કેસ સાથે કુલ દર્દી 493 થયા, આ સિવાય એકપણ જિલ્લામાં નવો કેસ નહીં, આજે એકનું મોત

રાજ્યમાં કોરોના હાલ હાહાકાર મચાવી રહ્યો છે. શનિવારે સાંજ સુધીમાં નવા 90 કેસના ઉછાળા સાથે રાજ્યમાં કોરોના દર્દીઓની સંખ્યા 468 પર પહોંચી હતી. ત્યાર બાદ આજે વધુ 25 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં 23 અને આણંદમાં 2કેસ સામે આવ્યા છે. આમ અમદાવાદ અને આણંદ સિવાય એકપણ જિલ્લામાં નવો કેસ નોંધાયો નથી. હવે ટેલિગ્રામ પર […]

લોકડાઉન બાદ વાતાવરણ ચોખ્ખુ થતા પહેલી વાર… 40 કિમી દૂરથી જ સાપુતારાની ગિરિમાળા દેખાઈ

કોરોના લોકડાઉન બાદ ગુજરાતના એક માત્ર ગિરિમથક સાપુતારાની ગિરિકંદરામાં હરિયાળી છવાઈ ગઈ છે. સાપુતારાની ટોચ પરથી નજર કરીએ તો 40 કિ.મી. દૂર આહવાના ઘરો અને 60 કિમી દૂર ડોન પર્વત પર છુટા છવાયા ઝૂંપડાઓ સ્પષ્ટ નજરે ચડે છે, એજ રીતે ડોન પર્વત અને આહવાના ઘરોમાંથી સાપુતારાની ગિરિમાળા દેખાય છે. જે આ લોકડાઉન બાદ જ શક્ય […]

ચીનમાંથી જાપાન તેની કંપનીઓને પાછી લાવવા માટે 2.2 બિલિયન ડોલરનો કરશે ખર્ચ, આ નિર્ણયથી ચીનમાં મોટી સંખ્યામાં નોકરીઓ ઘટી જશે.

જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબેએ સ્થાનિક કંપનીઓને બચાવવા માટે 108.2 ટ્રીલિયન યેનનું (993 બિલિયન ડોલર)નું પેકેજ જાહેર કર્યું છે. તે જાપાનના આર્થિક ઉત્પાદનની વીસ ટકા જેટલી રકમ છે. તેમાંથી 2.2 બિલિયન ડોલરનો ખર્ચો તેમની કંપનીઓનું ઉત્પાદન ચીનથી ખસેડવા માટે ઉપયોગમાં લેવામાં આવશે. બાકીની રકમ કંપનીઓને અન્ય દેશોમાં ઉત્પાદન ચાલુ કરવા માટે ઉપયોગમાં લેવાશે. આ નિર્ણયથી ચીનમાં […]

એક માએ લોકડાઉનમાં ફસાયેલા દીકરાને ઘરે લાવવા માટે 1400 કિલોમીટર સ્કૂટી ચલાવ્યું અને બીજા રાજ્યમાંથી દીકરાને લઈ આવી

દેશમાં કોરોના વાયરસ (Coronavirus) ફેલાતો અટકાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા 21 દિવસ માટે લોકડાઉન (21 days lockdown in India) જાહેર કરવામાં આવ્યું છે. આ દરમિયાન ગામડાઓમાંથી શહેરમાં મજૂરી કરવા આવેલા લોકો અને નોકરી માટે આવેલા લોકો રેલવે, રોડ માર્ગ, હવાઈ માર્ગને અટકાવી દેવામાં આવ્યો હોવાના કારણે જ્યાં હતા ત્યાં જ રહેવા માટે મજબૂર થઈ ગયા […]

અક્ષય કુમારે 25 કરોડ આપ્યા બાદ ફરી બતાવી દરિયાદિલી, ડૉક્ટરો અને મેડિકલ સ્ટાફની સુરક્ષા માટે BMCને 3 કરોડ રૂપિયા દાન કર્યા

કોરોના વાયરસની મહામારી સામે લડવા બોલિવુડ સેલેબ્સે દિલ ખોલીને દાન કરી રહ્યા છે. અક્ષય કુમારે કોરોના સામેની જંગમાં અગાઉ PM CARES ફંડમાં 25 કરોડ રૂપિયા દાન કર્યા હતા. હવે અક્ષયે બૃહ્નમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ને 3 કરોડ રૂપિયા આપ્યા છે. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો કોરોના વાયરસ […]

અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરીને કહ્યું- વડાપ્રધાને લોકડાઉન લંબાવીને યોગ્ય નિર્ણય કર્યો, આજે રાત્રે PM મોદી દેશને કરી શકે છે સંબોધન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રીઓ સાથે ત્રીજી વખત વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વાત કરી હતી. તેમાં લોકડાઉન લંબાવવા અંગે ચર્ચા થઇ હતી. કોન્ફરન્સિંગમાં મોટાભાગના રાજ્યોએ લોકડાઉન વધારવા માટે કહ્યું હતું. કોન્ફરન્સ બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરીને કહ્યું કે વડાપ્રધાને લોકડાઉન વધારવાનો યોગ્ય નિર્ણય લીધો છે. અત્યારે ભારતની પરિસ્થિતિ અન્ય દેશો કરતા એટલા માટે સારી છે […]