Browsing category

સમાચાર

સુરતના 101 વર્ષના બાએ જન્મ દિવસની કરી ઉજવણી: કોઈ પણ રોગ વગર 101 વર્ષની ઉંમરે ઘરના શારીરીક કામ જાતે કરીને તંદુરસ્ત રહ્યાં

સુરત શહેરના ભાદાણી પરિવારે સુંદરદેવી ભાદાણીના 101 જન્મ દિન નિમિત્તે ઉજવણી કરી હતી. આ વાત એટલા માટે ખાસ છે કારણ કે હજુ સુધી તેમને કોઈ પણ મોટી બિમારી થઈ નથી અને કોરોનાના સમયમાં તેઓ હેલ્ધી જીવન જીવી રહ્યા છે. આ માટે તેમણે ક્યારેય રેસ્ટોરન્ટ અને હોટેલ કે પ્રસંગોમાં જમ્યા નથી અને જવાનું થાય તો તેઓ […]

નવસારી સિવિલમાં ફરજ બજાવતી 28 વર્ષીય નર્સનો ફાંસો ખાઈ આપઘાત, ડ્યૂટી પર ત્રાસ અપાતો હોવાનો પરિવારનો આક્ષેપ

કોરોના વોરિયર્સ તરીકે નવસારીની સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતી નર્સે આપઘાત કરી લીધો છે. વિજલપોરમાં પોતાના ઘરે જ ફાંસો ખાઈને 28 વર્ષીય નર્સે આપઘાત કરી લીધો છે. વિજલપોરની જલારામ સોસાયટીમાં રહેતી મેઘા રાજેન્દ્રભાઈ આચાર્યના આપઘાતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. પાંચ પાનાંની સુસાઇડ નોટ પોલીસે જપ્ત કરી છે. પરિવારના સભ્યોએ દીકરીના આપઘાત પાછળ સિવિલ […]

કોરોના પોઝિટિવ આવ્યા બાદ ગુજરાતી સુપરસ્ટાર નરેશ કનોડિયાની સ્થિતિ ગંભીર, હોસ્પિટલમાંથી તસવીર આવી સામે

હાલ સમગ્ર દુનિયામાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે તેમજ ગુજરાતમાં પણ દૈનિક 1000થી 1100 જેટલા કેસો સામે આવી રહ્યા છે. 20 ઓક્ટોબરના રોજ એક જમાનાના ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર અને પૂર્વ ધારાસભ્ય નરેશ કનોડિયા પણ કોરોના સંક્રમિત થયા હતા. ત્યાર બાદ તેમને સારવાર અર્થે અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. યુ.એન. મહેતા હોસ્પિટલમાંથી આજે નરેશ […]

આઈટીઆઈમાં આદિમજૂથ યુવતીઓને તાલીમ સાથે કીટ આપવાની યોજનામાં ટ્રેનિંગ અને સિલાઈ મશીનની કીટ આપ્યા વગર ટ્રસ્ટે બોગસ બિલ મૂકી રૂ. 10 લાખનો ચેક ચૂકવી કૌભાંડ આચર્યું

વ્યારાની ઇન્દુ ગામની આઈટીઆઈમાં આદિમજૂથ યુવતીઓને તાલીમ સાથે કીટ આપવાની યોજનામાં 100 લાભાર્થીઓને સિલાઈ મશીન ટ્રેનિંગ અને મશીન આપવાની કામગીરી એક ટ્રસ્ટને આપી હતી, પરંતુ ટ્રેનિંગ અને સિલાઈ મશીન કીટ આપ્યા વગર ટ્રસ્ટે બોગસ બિલ બનાવી 10 લાખનો ચેક પાસ કરાવી લીધો છે. બીજી તરફ આઈટીઆઈએ પણ પૂરતી પૂર્તતા વગર ચેક આપી દેતા સિલાઈ મશીન […]

40 વર્ષના યુવકના મોં-નાકમાં સેનિટાઈઝર જતાં ત્રણ દિવસમાં બંને આંખે દેખાવાનું બંધ થઈ ગયું

40 વર્ષના ચેતન પટેલને એકાએક બંને આખે દેખાતું બંધ થઈ ગયું. MRI તેમજ આંખના પડદાના રિપોર્ટ નોર્મલ હોવા છતાં રોશની ચાલી ગઈ. સેનિટાઈઝર મોં અને નાકમાં જવાને કારણે તેમના મગજ અને આંખને જોડતાં ચેતાતંતુ સંપૂર્ણપણે ડેડ થઈ જતા દૃષ્ટિ જતી રહી છે. રેટિના અને ઓક્યુલર ટ્રોમા સર્જન ડો. પાર્થ રાણાએ જણાવ્યું હતું કે, મહુડી પાસે […]

પત્નીના આડા સંબંધથી કંટાળી નવાગામના યુવકે પોતાના બન્ને બાળકોને ગળેટૂંપો દઇ પોતે પણ ફાંસો ખાઇ આપઘાત કર્યો, યુવાનનો વીડિયો સામે આવ્યો

ભાવનગર પાસેના વરતેજ તાબેના નવાગામ ખાતે રહેતા શ્રમજીવીની પત્ની છેલ્લા કેટલાક સમયથી ઘરકંકાસને કારણે રિસાઈ ગઈ હોય, એનાથી કંટાળી યુવકે તેનાં બન્ને બાળકોને ગળેટૂંપો દઇ પોતે પણ ફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. ત્યારે આપઘાત પહેલા યુવના બનાવેલો વીડિયો સામે આવ્યો છે. જેમાં તે કહે છે કે મોટાભાઇ જીતુભાઇ તમારા દીકરાનો વાંક નથી. મારી પત્નીને આયરના […]

ગુજરાતી ફિલ્મના જાણીતા એક્ટર હસમુખ ભાવસારનું 70 વર્ષની વયે હાર્ટ અટેકથી નિધન

ગુજરાતી ફિલ્મ તથા રંગમંચના જાણીતા એક્ટર હસમુખ ભાવસારનું કાલે 21 ઓક્ટોબરના રોજ દુઃખદ અવસાન થયું છે. તેઓ ડાકોર ગયા હતા અને અહીંયા જ તેમને હાર્ટ અટેક આવ્યો હતો. હસમુખ ભાવસારે ટીવી સિરિયલ ‘કાકા ચાલે વાંકા’ પ્રોડ્યૂસ કરી હતી. તેમના આકસ્મિક અવસાનથી ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘેરા શોકની લાગણી પ્રવર્તી છે. હસમુખ ભાવસાર પોતાની આગવી એક્ટિંગ તથા […]

ફાસ્ટ ફૂડ શોખીનો માટે ચેતવણીરૂપ કિસ્સો: નૂડલ્સ ખાધા પછી એક જ પરિવારના 9 લોકોના મોત, કોર્ન ફ્લોર વાસી થવાથી તેનું ઝેર ઘાતક નીવડ્યું

ચીનના હેઈલોન્ગજિયાંગ પ્રાંતના જીક્સી શહેરમાં વાસી નૂડલ્સ ખાવાથી એક જ પરિવારના 9 લોકોના મૃત્યુ થવાથી ભારે ચકચાર મચી છે. ઘરે જ બનાવેલી અને ફ્રિઝરમાં સાચવી રાખેલી મકાઈની નૂડલ્સ બાફીને ખાવાના કારણે 7 પુખ્ત અને 2 બાળકો સહિત એક જ પરિવારના 9 લોકો મોતને ભેટ્યા છે. મકાઈ વાસી થઈ જવાથી તેમાં ઉત્પન્ન થયેલ ઝેરી એસિડ ઘાતક […]

અમદાવાદમાં કોન્સ્ટેબલે દારૂ પીને દાદાગીરી કરી, લોકોએ દોડાવી દોડાવીને બરાબરનો મેથીપાક ચખાડ્યો

રાજ્યમાં દારૂબંધી છે અને દારૂબંધીના કડક અમલની જવાબદારી પોલીસ વિભાગની છે પરંતુ ખુદ પોલીસકર્મીઓ જ દારૂ પી અને ધમાલ કરતાં હોય ત્યાં પોલીસ સામાન્ય માણસ પાસે દારૂબંધીનો કેવી રીતે અમલ કરાવી શકે? જેને કારણે ઠેર ઠેર દેશી દારૂઓના અડ્ડાઓ શરૂ થઈ ગયા છે. આજે આવો જ એક કિસ્સો સામે આવ્યો છે.શહેરના સોલા પોલીસ સ્ટેશનમાં ફરજ […]

જમ્મુ કાશ્મીરમાં મા-ભોમની રક્ષા કાજે સુરેન્દ્રનગર જિલ્લાના ચોરવીરા ગામનો જવાન શહીદ થયો, આજે ગાર્ડ ઓફ ઓનર આપીને અંતિમ સંસ્કાર કરાશે

જમ્મુ કાશ્મીરમાં દેશની સુરક્ષામાં રહેલા રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લાના ચોરવીરા ગામના જવાન રઘુભાઈ બાવળીયા ફરજ દરમિયાન ગોળી વાગતાં શહીદ થયાં છે. ત્યારે પોતાનો દિકરો દેશની રક્ષા કાજે પોતાના પ્રાણનું બલિદાન આપીને શહીદ થયો એવા સમાચાર સાંભળીને તેમનો પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. તે ઉપરાંત સમગ્ર પંથકમાં પણ શોકની લાગણી પ્રસરી ગઈ છે. જમ્મુ કાશ્મીરમાં દુશ્મનો […]