હવે ઘરે જ બનાવો સ્વાદિષ્ટ ચણા-મેથીનું અથાણું, જાણો બનાવવાની સરળ રીત…

એક તરફ કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે તો બીજી તરફ લોકો બહારથી ખાવાનું લાવવમાં પણ વિચારી રહ્યા છે. ત્યારે આજે અમે તમારા માટે ઘરે અથાણું કેવી રીતે બનાવાય તેની રીત લઇને આવ્યા છીએ. અથાણાનું નામ સાંભળતાની સાથે જ નાનાથી લઇને મોટા દરેક લોકોના મોંમાં પાણી આવી જાય છે. તો આજે અમે તમારા માટે વધુ એક અથાણાની રેસીપી લઇને આવ્યા છીએ. જે ખાવામાં સ્વાદિષ્ટ અને ઝડપથી બની જાય છે. તો આવો જોઇએ કેવી રીતે બનાવાય ચણા મેથીનું અથાણું. જેને તમે રોટલી, ખીચડી, પરાઠા સાથે ટ્રાય કરી શકો છો.

સામગ્રી

  • ૨૫૦ ગ્રામ – મેથીના દાણા
  • ૨૫૦ ગ્રામ – દેશી ચણા
  • ૨૫૦ ગ્રામ – કેરીનું છીણ
  • ૨૫૦ ગ્રામ – મેથીના કુરિયા
  • ૨૫૦ ગ્રામ – રાઈના કુરિયા
  • ૪ ચમચી – મરચું
  • સ્વાદાનુસાર – મીઠું

બનાવવાની રીત

સૌ પ્રથમ મેથી, ચણાને પાણીમાં 4 કલાક પલાળી લો. ત્યારબાદ તેમાંથી પાણી નીતારી કપડાં પર પાથરી દો અને સુકવવા મૂકો. હવે કેરીની છીણમાં રાઇના કુરિયા, મેથીના કુરિયા, મીઠું, મરચું મિક્સ કરવું. તે બાદ તેમાં મેથી અને ચણા પણ મિક્સ કરી લો અને તેને એક બરણીમાં ભરી લો. ત્યાર પછી બીજા દિવસે તેલને ગરમ કરી સહેજ ઠંડુ થાય એટલે તેમાં નાખી બરાબર હલાવી લેવું. તો તૈયાર છે સ્વાદિષ્ટ મેથી ચણાનું અથાણું. આ અથાણામાં કેરીની છીણ ઉમેરવાથી તેની ખટાશના કારણે મેથીની કડવાશ પણ ઓછી થઈ જશે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો