Browsing category

સમાચાર

100 રૂપિયાનું એક લીલું નાળિયેર, 130 રૂ. કિલો લીંબુ, સફરજન 200 રૂ.કિલો, મોસંબી 80થી 100 રૂ.કિલો. કોરોનાની આફતને અવસર બનાવીને વેપારીઓની ઉઘાડી લૂંટ

કોરોનાના દર્દીઓ માટે વિટામિન-સીવાળા ફ્રૂટ્સ ખાવા આરોગ્ય માટે લાભદાયક છે, આથી હાલમાં બજારમાં મળતાં નારંગી, મોસંબી, કિવી, ડ્રેગન ફ્રૂટ, દ્રાક્ષ, પાઇનેપલ સહિતમાં વિટામિન-સી ભરપૂર માત્રામાં હોવાથી એની માગ વધી છે. કોરોનાના કપરાકાળમાં નિર્દોષ અને સામાન્ય જનતાને લૂંટવામાં કોઈ બાકી નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આફતને અવસરમાં પલટી નાખવા અંગેના સૂત્રને અપનાવી વેપારીઓ બેફામ ભાવવધારો કરી લૂંટફાટ […]

રાજકોટના બે તબીબના પરિવારના સભ્યો છે સંક્રમિત છતા દર્દીઓની સેવામાં સમર્પિત, તબીબે કહ્યું- મારા પરિવારને જેટલી મારી જરૂર છે એનાથી વિશેષ મારી જરૂર અત્યારે સમાજ અને દેશને છે

રાજકોટમાં કોરોના મહમારીએ અજગર ભરડો લીધો છે. શહેરના દરેક વિસ્તારમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. ત્યારે તબીબી જગત પણ તેનાથી પ્રભાવિત થયું છે. આ સમયે કોરોના સંક્રમણનો ભોગ બનેલા લોકોને ઉગારવા માટે કાર્યરત બે તબીબોની આજે આપણે વાત કરવી છે. જેમના પરિવારજનો કોરોના સંક્રમિત હોવા છતાં પણ તેઓ ફરજ પર કાર્યરત રહ્યા છે. પરિવારમાં 5 […]

GMDC ખાતે ધન્વંતરિ કોવિડ હોસ્પિટલમાં ‘શ્વાસ લેવામાં તકલીફ છતાં કાલે આવજો કહી મોકલી દીધાં’, લાચારીનાં દ્રશ્યો સર્જાયાં

જીએમડીસી ખાતે ડીઆરડીઓની ધન્વંતરિ હોસ્પિટલ બહાર કોવિડ દર્દીને દાખલ કરવાના પાસ લેવા માટે સવારે ૫ વાગ્યાથી શરૂ થયેલી લાઇનમાં ૧૦૦થી વધુ લોકો એકત્ર થયા હતા. સવારે ૮ વાગ્યાથી પાસ આપવાના શરૂ કર્યાના ૨૦ મિનિટમાં ૧૨૫ લોકોને પાસ આપ્યા બાદ કાઉન્ટર બંધ કરી દીધા હતા. સત્તધીશો એટલા બેરહમ જોવા મળ્યા કે ગંભીર હાલતમાં ૧૦૮ કે ખાનગી […]

રાજકોટ સિવિલમાં બની ધૃણાસ્પદ ઘટના: સિવિલના કોરોના વોર્ડમાં રાત્રે વૃદ્ધા દર્દી પર એટેન્ડન્ટે દુષ્કર્મ ગુજાર્યું

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં કોવિડ સેન્ટરમાં દાખલ વૃદ્ધાએ પોતાની સાથે અજુગતું થયાના આક્ષેપ સાથે તેના પરિવારજનોને હોસ્પિટલ બોલાવતા દેકારો મચી ગયો હતો. ગંભીર ઘટનાને પગલે હોસ્પિટલના અધિકારીઓ, પોલીસ અધિકારીઓ પણ કોવિડ સેન્ટરમાં દોડી ગયા હતા.રાજનગર પાસે આવેલા આવાસમાં રહેતા 60 વર્ષીય વૃદ્ધાની બુધવારે તબિયત બગડતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. વૃદ્ધાનું ઓક્સિજન લેવલ સાવ ઓછું […]

સુરતનો હચમચાવી દેતો બનાવ: સુરતમાં કોરોનાથી માતાનું નિધન થતાં યુવાન દીકરાએ હૉસ્પિટલ પરથી છલાંગ લગાવીને મોત વ્હાલું કરી દીધું

સુરતમાં કોરોના કહેર (Surat coronavirus cases)ને લઇ અનેક પરિવારોના માળા પીંખાયા છે. સુરતમાં આવી વધુ એક ઘટના સામે આવી છે. જેમાં કોરોનાની સારવાર દરમિયાન માતા (Mother)નું મોત થતા દીકરાએ હૉસ્પિટલ પરથી છલાંગ લગાવીને મોત વ્હાલું (Suicide) કરી દીધું હતું. આ યુવકના પિતા સ્મશાનગૃહમાં નોકરી કરે છે અને માતા બ્યુટીપાર્લર ચલાવતી હતી. પત્નીના કોરોનાથી નિધન બાદ […]

વડોદરામાં મૃતદેહ પરથી દાગીનાની ચોરી: દર્દીનું 600 ગ્રામ ચાંદીનું કડુ ગાયબ, પુત્રએ કહ્યું : ‘જેટલા રૂપિયા જોઇએ તેટલા લઇ લો, પણ પિતાની અંતિમ નિશાની પાછી આપો’

વડોદરા શહેરના સમરસ હોસ્ટેલ સ્થિત કોવિડ કેર સેન્ટર ખાતે કોરોનાના દર્દીના મોત બાદ હાથમાં પહેરેલુ ચાંદીનું 600 ગ્રામનું કડુ ગાયબ હોવાથી પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો. મૃતક દર્દીના પુત્રએ જણાવ્યું હતું કે, મારી પાસેથી જેટલા રૂપિયા લેવા હોય તેટલા લઇ લો, પણ મારા પિતાની અંતિમ નિશાની મને પાછી આપો. સમરસ હોસ્ટેલના કોવિડ સેન્ટરમાં ચોરી થઇ જેમ […]

PMએ જ્યારે કોરોના સામે જીત જાહેર કરી હતી ત્યારે આ DM બીજી લહેરની તૈયારીમાં લાગી ગયા હતા, આજે રાહતના શ્વાસ લઈ રહ્યો છે આ જિલ્લો

દેશ આખો જ્યારે કોરોના સામે લડાઈ જીતી ગયા તેવું જાહેર કરી રહ્યો હતો ત્યારે આ DM બીજી લહેરની તૈયારીમાં લાગી ગયા હતા અને આજે તેમની દીર્ઘદ્રષ્ટિથી તેમનો જિલ્લો રાહતના શ્વાસ લઈ રહ્યો છે. ખૂબ જ પછાત અને આદિવાસ જિલ્લા નંદુરબારમાં કોરોના વાયરસ સામે જંગ માત્ર 20 બેડ સાથે શરૂ થઈ હતી. આજે આ જિલ્લામાં 1,289 […]

મહામારીમાં મોતના સોદાગરઃ અમદાવાદ માથી ઝડપાયું સૌથી મોટું કૌભાંડ, 5000 ડુપ્લિકેટ રેમડેસિવર વેચ્યા

કોરોનાની મહામારીમાં રેમડેસિવિર ઈન્જેક્શનને રામબાણ ઈલાજ માનીને દર્દીઓના સગાં હજારો રૂપિયા ખર્ચીને ઈન્જેક્શન મેળવવા માટે રખડી રહ્યા છે. આ સંજોગોમાં માનવતાના દુશ્મનોએ નકલી રેમડેસિવિર ઈન્જેક્શનો બનાવીને મોતનો વેપાર શરૂ કર્યો હતો. ટ્રેટાસાયક્લિનના ઈન્જેક્શનોને રેમડેસિવિરના લેબલ લગાવી કાળાબજારમાં વેચનારા સાત ઈસમોને અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ઝડપી લઈ 133 જેટલાં ડુપ્લિકેટ રેમડેસિવિર ઈન્જેક્શનો કબજે કર્યા છે. એક પછી […]

પત્નીનું મૃત્યુ થતાં પાડોશીઓએ કાંધ ન આપી તો સાઇકલ પર લઈ જવા લાગ્યો શવ, પોલીસે દેખાડી માનવતા

કોરોના વાયરસે આખા વિશ્વમાં હાહાકાર મચાવી રાખ્યો છે. ભારતમાં કોરોના તાંડવ કરી રહ્યો છે. કોરોનાના કપરા કાળમાં માનવતાની પરીક્ષા થઈ રહી છે. આ કપરા કાળમાં એવા એવા સમાચાર સાંભળવા મળે છે જેને સાંભળીને આપણી રુવાંટી ઊભી થઈ જાય છે. ક્યાંક લોકોને હૉસ્પિટલોમાં બેડ મળી રહ્યા નથી, ક્યાંક લોકોને શબવાહિની મળી રહી નથી, તો કોઈક ને […]

ડૉક્ટરોએ જીવતી મહિલાને જાહેર કરી મૃત, ચિતા પર પણ ચાલી રહ્યા હતા શ્વાસ: પરિવારનો આરોપ

છત્તીસગઢના પાટનગર રાયપુરમાં ડૉક્ટરોએ 72 વર્ષની મહિલાને મૃત જાહેર કરી દીધી, જો કે તે જીવતી હતી. પરિવાર મહિલાને લઇને સ્મશાન પહોંચી ગયા. કથિત રીતે મૃત મહિલાને જ્યારે ચિતા પર રાખવામાં આવી ત્યારે તેના શ્વાસ ચાલી રહ્યા હતા. પરિવાર તેને પરત હૉસ્પિટલ લઇને પહોંચ્યો, પરંતુ ત્યાં સુધી તેનું મોત થઈ ગયું હતુ. પરિવારનો આરોપ છે કે […]