મોરડુંગરીમાં ખોડલધામના નરેશ પટેલનો અભિવાદન કાર્યક્રમ યોજાયો, બાવન ગામ લેઉઆ પાટીદાર સમાજે નરેશ પટેલની સાકર તુલા કરી
અરવલ્લી: માલપુરના મોરડુંગરીમાં ખોડલધામના નરેશ પટેલનો અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં નરેશ પટેલને સાકરથી તોલી સાકર તુલા કરવામાં આવી હતી. દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, સરકારની 10 ટકા બિન અનામત નીતિથી ઘણાં બધા સમાજો સચવાયા છે અને બધું સારું થશે.
સમાજ સંગઠિત થાય: નરેશ પટેલ
મોરડુંગરી ખાતે આવેલા જલારામ મંદિરે બાવન ગામ લેઉઆ પાટીદાર અને અરવલ્લી ખોડલધામ સમિતિ દ્વારા નરેશ પટેલનો અભિવાદન કાર્યક્રમ યોજાયો. નરેશ પટેલે જણાવ્યું હતું કે, સમાજ સંગઠિત થાય તે માટે ગુજરાતના દરેક વિભાગમાં પ્રવાસ કરી રહ્યો છું.
(તસવીર અને માહિતી: કૌશિક સોની, ભિલોડા)
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
આ પણ વાંચજો –
- પેનલ્ટીનો અનોખો બનાવ- સ્કૂટી ચલાવનારને નવા ટ્રાફિક નિયમો પ્રમાણે 23 હજાર દંડ લાગ્યો, યુવકે કહ્યું-ગાડી 15 હજારની છે
- અમદાવાદમાં ટ્રાફિક પોલીસકર્મીએ 1000નો દંડ ભરવાનું કહેતા યુવતી ચંપલ કાઢીને મારવા દોડી
- જે 12 વર્ષનો બાળક 12 મહિના જમીન પર પગ નહીં મૂકી શકે તેવું નિદાન થયું હતું તેને ડૉક્ટરે 30 દિવસમાં ચાલતો કર્યો

