ઇન્દ્રને દુર્વાસાએ શ્રાપ આપ્યો પછી ધરતીના એક સમ્રાટને બનાવવો પડ્યો સ્વર્ગનો રાજા, તેણે ઇન્દ્રની પત્નીને પોતાને પતિ તરીકે સ્વીકારવાનો સંદેશ મોકલ્યો, દેવગુરુ બૃહસ્પતિએ જણાવ્યો એવો ઉપાય કે રાજાનું બધુ જ થઈ ગયું બરબાદ

કથા શ્રીમદ ભાગવતની છે. મહાભારતમાં પણ તેનો ઉલ્લેખ મળે છે. જ્યારે મનુના વંશની ચોથી-પાંચમી પેઢી જ હતી. સ્વર્ગમાં ઇન્દ્રનું રાજ હતું. એક વખત દુર્વાસા ઋષિનું અપમાન કરવાના કારણે ઇન્દ્રને તેમના શ્રાપનો ભોગ બનવું પડ્યું. દુર્વાસા ઋષિના શ્રાપના કારણે ઇન્દ્ર બળહીન થઈ ગયા. ઇન્દ્રને બળહીન જોઇને દૈત્યોએ સ્વર્ગમાં ઉત્પાત મચાવવાનું શરૂ કરી દીધું. ઇન્દ્ર ક્યાંક જઈને સંતાઇ ગયા. તેના પછી દૈત્યોનો સાહસ હજુ વધી ગયો. રોજ સ્વર્ગમાં જુદી-જુદી રીતે હુમલા થવા લાગ્યા.

ત્યારે અન્ય દેવતાઓએ સપ્તઋષિઓ સાથે મંત્રણા કરીને ધરતીના તે સમયના સૌથી તેજસ્વી રાજા નહુષને સ્વર્ગનો રાજા બનાવી દીધો. નહુષ વીર હતો. તેમના પ્રભાવના કારણે દૈત્ય ફરી શાંત બેસી ગયા અને સ્વર્ગમાં શાંતિ થઈ ગઈ. પરંતુ સ્વર્ગનો રાજપાટ અને ઇન્દ્રનું આસન મળવાના થોડા જ દિવસોમાં નહુષ પર સત્તા અને શક્તિનો નશો છવાઈ ગયો. તે પોતાની મનમાની કરવા લાગ્યો.

ઇન્દ્રનો પદ મળ્યા પછી તેણે ઇન્દ્રની પત્ની શચિને પણ પોતાની સામે પ્રસ્તુત થવાનો ફરમાન સંભળાવી દીધો. નહુષે ઇન્દ્રની પત્ની શચિને કહ્યુ કે જ્યારે ઇન્દ્રનું આસન અને તેની શક્તિઓ મારી પાસે છે તો તું પણ મને તારો પતિ સ્વીકાર કરી લે.

શચિએ ઇન્કાર કરી દીધો. નહુષ તેને જુદી-જુદી રીતે પરેશાન કરવા લાગ્યો. ત્યારે પરેશાન થઈને શચિ દેવગુરુ બૃહસ્પતિ પાસે ગઈ, તેમને બધી વાતો જણાવી. નહુષની મનમાનીઓથી બધા ઋષિ પણ પરેશાન હતા. ત્યારે દેવગુરુએ શચિને એક ઉપાય જણાવ્યો. તેમણે શચિને કહ્યુ કે તું નહુષનો પ્રસ્તાવ સ્વીકાર કરી લે અને તેને કહે કે જો તે સપ્તઋષિઓને ભોઈ બનાવીને સ્વયં તેમની પાલખીમાં બેસીને આવે તો તું તેને પોતાનો પતિ સ્વીકાર કરી લઇશ. શચિએ આ સલાહ માની લીધી. તેણે નહુષ સુધી પોતાની આ શરતનો સંદેશ મોકલી દીધો.

શચિનો સંદેશ મેળવીને નહુષ ખુશ થઈ ગયો અને તેણે સપ્તઋષિઓને પાલખી બનાવવાનો આદેશ આપ્યો. મજબૂરીમાં ઋષિઓને નહુષની વાત માનવી પડી પરંતુ વૃદ્ધ હોવાના કારણે તે ઝડપથી નહોતા ચાલી શકતા. તો નહુષે પાલખી ઉપાડીને આગળ ચાલી રહેલા અગસ્ત ઋષિને લાત મારતા તેજ ચલાવવા કહ્યુ.

તેનાથી ઋષિઓનું ધીરજ તૂટી ગયું. તેમણે નહુષને પાલખીથી પછાડતા તરત અજગર બની જવાનો શ્રાપ આપી દીધો. ધરતી પર પડેલો નહુષ અજગર બની ગયો અને પોતાના કરેલા કર્મો પર તેને પસ્તાવો થવા લાગ્યો. સ્વર્ગનો રાજા બનવા યોગ્ય વ્યક્તિ પોતાના અહંકાર અને ભૂલોના કારણે અજગર બની ગયો.

બોધપાઠ

બધાને પોતાની યોગ્યતા મુજબ ક્યારેકને ક્યારેય ભાગ્ય બદલવાની અને જીવનમાં કંઈ કરી બતાવવાની તક જરૂર મળે છે. પરંતુ ઘણા લોકો આ તક મેળવીને પણ ભૂલો કરે છે અને પોતાનું બધુ જ ગુમાવી દે છે. જ્યારે પણ જીવનમાં મોટી તક મળે તો નાની-નાની ઈચ્છાઓ અને અહંકારનો ત્યાગ કરી દેવો જોઈએ.

આ પણ વાંચજો – નવાબે પોતાની બેગમને કહ્યુ કે મારા કારણે જ તને સન્માન મળે છે, બેગમે કહ્યું – હું એક મિનિટમાં તમારું સન્માન ખરાબ કરી શકું છું અને સન્માન પાછુ પણ અપાવી શકું છું, નવાબે કહ્યુ કે સારું તો આવું કરીને બતાવો

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો