મહાશિવરાત્રિના દિવસે શિવલિંગના દર્શન અને પૂજા કરવાથી મન શાંત થાય છે

આજે મહાશિવરાત્રિ છે. આ દિવસે શિવલિંગના દર્શન કરવા અને પૂજા કરવાનું વિશેષ મહત્ત્વ છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા પ્રમાણે શિવપૂજા કરવાથી ભક્તનું મન શાંત થાય છે. નેગેટિવ વિચારો દૂર થાય છે. શિવપુરાણમાં શિવલિંગ ઉપર ચઢાવવામાં આવતી અનેક વસ્તુઓ વિશે ઉલ્લેખવામાં આવ્યું છે. બધી વસ્તુઓનું મહત્ત્વ અલગ-અલગ હોય છે. અહીં જાણો શિવરાત્રિના શુભ અવસર પર શિવલિંગ પર કઇ-કઇ વસ્તુઓ ચઢાવી શકો છો.

> ભગવાન શિવની સામાન્ય પૂજામાં ચંદન, બીલીપાન, સફેદ વસ્ત્ર ચઢાવવા જોઇએ. તેની સાથે વિવિધ અનાજ અને ફૂલ પણ શિવલિંગ ઉપર ચઢાવો. પૂજામાં આ મંત્રનો જાપ કરો-

मृत्युंजयाय रुद्राय नीलाकंताया शम्भवे।
अमृतेशाय सर्वाय महादेवाय ते नमः।।

> દિવસ દરમિયાન ऊँ नम: शिवाय मंत्र નો જાપ પણ કરી શકો છો.

> પૂજામાં ચોખા ચઢાવવા જરૂરી હોય છે. શિવલિંગ ઉપર ચોખા ચઢાવવાં. ધ્યાન રાખો કે, ચોખા તૂટેલાં હોવા જોઇએ નહીં. ચોખા ચઢાવવાથી ધન સંબંદી કાર્યોમાં આવી રહેલી બાધાઓ દૂર થઇ શકે છે.

> શિવપૂજામાં તલ અર્પણ કરવાનું પણ વિશેષ મહત્ત્વ છે. તલ ચઢાવવાથી માનસિક તણાવ દૂર થઇ શકે છે.

> આખા મગ પણ શિવજીને ચઢાવી શકાય છે. કોઇ ખાસ મનોકામનાની પૂર્તિ માટે શિવલિંગ ઉપર મગ ચઢાવવામાં આવે છે. શિવલિંગ ઉપર જવ અર્પણ કરવાથી અક્ષય પુણ્ય પ્રાપ્ત થાય છે.

> શિવલિંગ ઉપર ઘઉં ચઢાવવાથી ઘરમાં ધન-ધાન્યની અછત પડતી નથી. સંતાન સુખ મળે છે.

> ધનલાભની કામના હેતુ શિવલિંગ ઉપર કમળના ફૂલ ચઢાવી શકાય છે. વિચારોની પવિત્રતા માટે સફેદ કમળ ચઢાવવા જોઇએ.

> શિવલિંગ ઉપર બીલીપાન ચઢાવવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેનાથી બધી જ મનોકામનાઓ પૂર્ણ થઇ શકે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો