ભવિષ્ય પુરાણ પ્રમાણે નાગપાંચમના દિવસે નવ નાગની પૂજાનું છે વિધાન, આ પૂજાથી સુખ-સમૃદ્ધિ મળે છે

શ્રાવણ મહિનાના સુદ પક્ષની પાંચમ તિથિએ નાગ પાંચમ પર્વ ઉજવવામાં આવે છે. આ વર્ષે આ પર્વ શનિવાર, 25 જુલાઈએ છે. આ દિવસે નાગ દેવતાના પૂજનની પરંપરા છે. ભવિષ્ય પુરાણ સહિત અન્ય પુરાણોમાં પણ તેનું મહત્ત્વ ઉલ્લેખવામાં આવ્યું છે. નાગ પાંચમ સાથે જોડાયેલી કથા પ્રમાણે એવું માનવામાં આવે છે કે, આ દિવસે સ્ત્રીઓ સાપને પોતાનો ભાઈ માનીને તેમની પૂજા કરે છે અને ભાઈ પાસે પોતાના કુટુંબની રક્ષાના આશીર્વાદ લે છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

જ્યોતિષીય વિદ્વાનોના જણાવ્યાં પ્રમાણે, નાગપાંચમના દિવસે નાગ દેવતાની પૂજા કરવાથી કુંડળીના રાહુ અને કેતુ સાથે સંબંધિત દોષ દૂર થઇ શકે છે. નાગપાંચમના દિવસે કાલસર્પ યોગની પૂજા પણ કરાવવામાં આવે છે. આ પૂજાથી કામકાજમાં આવી રહેલી મુશ્કેલીઓ દૂર થાય છે.

દેવલોકમાં નાગને ખાસ જગ્યા મળે છેઃ-

સનાતન ધર્મમાં દેવી-દેવતાઓના વાહન સ્વરૂપમાં પશુ-પક્ષીઓની પૂજાનું પણ વિધાન ઉલ્લેખવામાં આવ્યું છે. આ સિવાય પુરાણમાં નાગલોકનો પણ ઉલ્લેખ મળી આવી છે. યક્ષ, ગંધર્વ અને કિન્નરો સાથે નાગને પણ દેવી-દેવતાઓના લોકમાં ખાસ જગ્યા આપવામાં આવી છે. માટે તેમની પણ પૂજા કરવામાં આવે છે.

મહત્તવઃ નાગ ગુપ્ત ધનની રક્ષા કરે છેઃ-

નાગ ધનની રક્ષા માટે તત્પર રહે છે અને તેમને ગુપ્ત, સંતાડેલાં અને દાટેલાં ધનની રક્ષા કરનાર માનવામાં આવે છે. નાગ, માતા લક્ષ્મીની રક્ષા કરે છે. જે આપણાં ધનની રક્ષામાં તત્પર રહે છે. એટલે ધન-સંપત્તિ અને સમૃદ્ધિ પ્રાપ્તિ માટે નાગ પાંચમ ઉજવવામાં આવે છે. આ દિવસે નાગ દેવતાની આરાધનાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે. જે વ્યક્તિની કુંડળીમાં કાલસર્પ દોષ હોય છે તેઓએ આ દોષથી બચવા માટે નાગ પાંચમનું વ્રત કરવું જોઇએ. જેમને મોટાભાગે સાપ જોવા મળે છે અથવા સાપથી વધારે બીક લાગતી હોય તો તેમણે વિધિ-વિધાનથી નાગની પૂજા કરવી જોઇએ. ખાસ કરીને નાગ પાંચમના દિવસે નાગદેવની પૂજા કરવાથી આ ભય દૂર થઇ જાય છે.

ભવિષ્ય પુરાણ પ્રમાણે નવ નાગની પૂજાનું વિધાનઃ-

ભવિષ્ય પુરાણ પ્રમાણે નાગ પાંચમે નવ નાગની પૂજાનું વિધાન છે. જેમાં અનંત, વાસુકિ, શેષનાગ, પદ્મનાભ, કંબલ, શંખપાલ, ધૃતરાષ્ટ્ર, કાળિયા અને તક્ષક નાગનો સમાવેશ થાય છે. પૂજા માટે નાગદેવતાની તસવીરને લાકડાના બાજોટ ઉપર રાખીને હળદર, રોલી, ચોખા અને ફૂલ ચઢાવો. કાચા દૂધથી નાગદેવનો અભિષેક કરવો. ત્યાર બાદ નૈવેદ્ય અર્પણ કરો. છેલ્લે આરતી ઉતારો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો