એક મૂર્તિકાર એવી મૂર્તિઓ બનાવતો હતો કે તેની મૂર્તિઓને જોઈને સૌકોઈને એવું લાગતું કે જાણે મૂર્તિ જીવંત હોય, તેનો મૃત્યુ સમય નજીક આવતા તેણે એક યોજના બનાવી, યમદૂતોને ભ્રમિત કરવા માટે તેણે પોતાના જેવી જ હુબહૂ 10 મૂર્તિઓ બનાવી અને તે આ મૂર્તિઓની વચ્ચે જઈને બેસી ગયો. જાણો પછી શું થયું?

એક મૂર્તિકાર હતો. તે એવી મૂર્તિઓ બનાવતો હતો કે તેની મૂર્તિઓને જોઈને સૌકોઈને એવું લાગતું કે જાણે મૂર્તિ જીવત હોય. આસપાસના ગામડાઓમાં પણ તેની પ્રસિદ્ધિ ફેલાઈ ગઈ હતી. બધા લોકો તેની મૂર્તિ બનાવવાની કળા પાછળ પાગલ હતા. મૂર્તિકારને પોતાની કળાનું ખૂબ જ ઘમંડ હતું.

ધીમે ધીમે એક દિવસ એવો આવ્યો કે મૂર્તિકારને લાગ્યું કે હવે બહુ દિવસ જીવિત રહી શકશે નહીં. પોતાના મૃત્યુની વાત સાંભળી તે ખૂબ દુ:ખી થઈ ગયો.

યમદૂતોને ભ્રમિત કરવા માટે તેણે એક યોજના બનાવી. તેણે પોતાના જેવી જ હુબહૂ 10 મૂર્તિઓ બનાવી અને તે આ મૂર્તિઓની વચ્ચે જઈને બેસી ગયો. યમદૂતો આવ્યા ત્યારે તે પણ વિચારમાં પડી ગયા કે બધામાંથી સાચો મનુષ્ય કોણ છે. તેઓ મુંજાણા કે હવે શું કરવું. જો પ્રાણ લીધા વગર જઈશું તો સૃષ્ટિનો નિયમ તૂટી જશે. મૂર્તિઓ તોડીશું તો કળાનું અપમાન થઈ જશે હવે કરવું શું?

અચાનક યમદૂતને માણસના સૌથી મોટા દુર્ગુણ અહંકારના પારખા કરવાનો વિચાર આવ્યો. તેએ આ મૂર્તિઓને જોઈને કહ્યું કે કેટલી સુંદર મૂર્તિઓ બની છે પણ તેમાં એક ભૂલ છે. જો બનાવનાર મારી સામે હોત તો હું તેને ભૂલ બતાવત. આ સાંભળીને મૂર્તિકારનો અહંકાર જાગી ગયો. તેને એવું થયું કે મારી મૂર્તિમાં કોઈ ભૂલ કાઢી જ કેવી રીતે શકે. તે બોલી ઉઠ્યો કે કેવી ભૂલ છે? યમદૂતોએ તેને પકડી લીધો અને તેની સાથે લઈ ગયા.

બોધપાઠ: અહંકાર વ્યક્તિને મુશ્કેલી અને દૂ:ખ સિવાય કશું આપતું નથી. દુ:ખ અને મુશ્કેલીથી દૂર રહેવું હોય તો અહંકાર ક્યારેય ન કરવો

આ પણ વાંચજો:- એક રાજા જંગલમાં ભારે વરસાદના કારણે રસ્તો ભૂલી ગયા. ત્યાં તેમને ત્રણ બાળકો દેખાયા, બાળકો રાજા માટે ખાવા-પીવાનું લઈ આવ્યા જેથી રાજા ખૂબ ખૂશ થયા અને કહ્યું કે બોલો તમારે શું જોઈએ છે? પહેલું બાળક બોલ્યું કે મારે મોટું ઘર જોઈએ છે? બીજા બાળકે કહ્યું કે મારે બહુ બધા પૈસા જોઈએ છે ત્રીજા બાળકે એવું માંગ્યુ કે તમે આશ્ચર્યચકિત થઈ જશો

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો