રામાયણમાં મારીચ પાસે ગયો રાવણ અને બોલ્યો કે તું સ્વર્ણ મૃગ બની જા, જેથી હું સીતાનું હરણ કરી શકું, ઈચ્છા ન હોવા છતા મારીચને માનવી પડી રાવણની વાત જાણો કેમ?

આપણી આજુબાજુ ઘણા લોકો એવા છે, જેની વાતો ન માનવા પર અથવા તેમનો વિરોધ કરવા પર આપણું નુકસાન થવું નક્કી છે. શ્રીરામચરિત માનસના અરણ્ય કાંડમાં મારીચ અને રાવણનો પ્રસંગ છે. આ પ્રસંગમાં નવ લોકો એવા જણાવવામાં આવ્યા છે, જેની દરેક વાત માની લેવી જોઈએ, નહીં તો આપણે મુશ્કેલીમાં મુકાઇ શકીએ છીએ. જાણો સંપૂર્ણ પ્રસંગ.

આ હતો પ્રસંગ

રાવણ સીતાનું હરણ કરતા પહેલા મારીચ પાસે પહોંચ્યો. રાવણે મારીચને કહ્યું કે તું છળ-કપટ કરનારો સ્વર્ણ મૃગ બન, જેથી હું સીતાનું હરણ કરી શકું.

ત્યારે મારીચે રાવણને સમજાવવાનો પ્રયાસ કર્યો કે તે શ્રીરામ સાથે શત્રુતા ન કરે. તે સ્વયં નારાયણના અવતાર છે.

મારીચની આ વાતો સાંભળીને રાવણ ક્રોધિત થઈ ગયો, પોતાના બળ અને શક્તિઓનું અભિમાન કરવા લાગ્યો.

જ્યારે મારીચને સમજ આવી ગયું કે રાવણને સમજાવવું અશક્ય છે અને સીતા હરણ માટે તેની મદદ કરવામાં જ તેનું હિત છે. રાવણના હાથે મરવા કરતા સારું છે કે હું શ્રીરામના હાથે મરું, જેથી મારો ઉદ્ધાર થઈ જશે.

તેના પછી મારીચે વિચાર્યુ કે –
तब मारीच हृदयँ अनुमाना। नवहि बिरोधें नहिं कल्याना।।
सस्त्री मर्मी प्रभु सठ धनी। बैद बंदि कबि भानस गुनी।।

ગોસ્વામી તુલસીદાસ દ્વારા રચિત શ્રીરામચરિત માનસમાં લખેલા આ દુહામાં મારીચના વિચારે જણાવ્યું કે આપણે ક્યા નવ લોકોની વાતો તરત માની લેવી જોઈએ. અન્યથા આપણાં પ્રાણ મુશ્કેલનીમાં મુકાઇ શકે છે.

આ દુહા મુજબ આપણે શસ્ત્રધારી, આપણાં રાજ જાણનાર, સમર્થ સ્વામી, મૂરખ, ધનવાન વ્યક્તિ, વૈદ્ય, ભાટ, કવિ અને રસોઇયા, આ લોકોની વાતો તરત માની લેવી જોઈએ. તેમનો ક્યારેય વિરોધ ન કરવો જોઈએ, નહિંતર આપણાં પ્રાણ મુશ્કેલીમાં મુકાઈ શકે છે.

આ પણ વાંચજો- એક દુ:ખી યુવાન સ્વામી વિવેકાનંદ પાસે આવ્યો અને બોલ્યો, હું ખૂબજ મહેનત કરું છું, છતાં સફળતા નથી મળતી, મને સમજણ નથી પડતી કે, ભગવાને મને આવું નસીબ કેમ આપ્યું છે? હું શું કરું? સ્વામીજીએ કહ્યું, મારા કૂતરાએ ફેરવીને લાવ, જાણો પછી શું થયું?

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો