એક રાજાના બે દીકરાઓ વચ્ચે વારંવાર વિવાદ થતો રહેતો હતો, એક દિવસ રાજાએ બંનેની આંખો ઉપર પટ્ટી બાંધીને એક પ્રશ્ન પૂછ્યો, બંનેએ જુદા-જુદા જવાબ આપ્યા પછી રાજાએ જણાવ્યું કોનો જવાબ સાચો હતો

એક રાજાના બે દીકરા હતા. બંને ખૂબ ગુણવાન અને સમજદાર હતા પરંતુ બંનેના વિચારોમાં ઘણો મતભેદ હતો. આ કારણે બંનેમાં વિવાદ થતા રહેતા હતા. જેમ-જેમ બંને રાજકુમાર મોટા થતા ગયા તેમ-તેમ તેમના મતભેદ પણ વધતા જઈ રહ્યા હતા.

રાજાએ વિચાર્યુ કે જો આવી રીતે તેમની વચ્ચે વિવાદ થતો રહ્યો તો દુશ્મન રાજ્ય તેનો ફાયદો ઉઠાવીને અમારા રાજ્ય ઉપર કબજો કરી લેશે અથવા પછી સેના પણ વિદ્રોહ કરી શકે છે. તેના કારણે રાજા કાયમ ચિંતામાં રહેતા હતા. તે વિચારતા રહેતા કે કેવી રીતે આ બંને રાજકુમારોમાં ઝઘડો ખતમ કરવી શકાય.

એક દિવસ રાજાએ બંને રાજકુમારોને સમજાવવા માટે એક યોજના બનાવી. તેમણે બંને રાજકુમારોને બગીચામાં બોલાવ્યા અને તેમની આંખો પર પટ્ટી બાંધી દીધી. આંખો બાંધીને બંને રાજકુમારોને એક દીવાલ પાસે લઈ ગયા. દીવાલની એક તરફ સૂર્યની કિરણો પડતી હતી. તેના કારણે તે ભાગ ગરમ હતો જ્યારે દીવાલની બીજી તરફ છાયો હોવાના કારણે ત્યાં ઠંડક હતી. બંનેથી એક જ સવાલ કર્યો કે સ્પર્શ કરીને બતાવો કે આ દીવાલ ઠંડી છે કે ગરમ. બંનેએ પોતાના અનુભવના આધાર પર વિપરીત જવાબ આપ્યા. તેના પછી બંનેની જગ્યા બદલી દીધી.

તેના પછી બંનેને ફરી તે સવાલ કરવામાં આવ્યો. બંનેએ ફરી વિપરીત જવાબ આપ્યા. બંનેની આંખોથી પટ્ટી ઉતારી દીધી તો રાજાએ તેમને કહ્યુ કે – બંને સાચા હતા પરંતુ પરિસ્થિતિઓ જુદી હતી. જીવનમાં પણ આવી જ સ્થિતિઓ બને છે એટલે બીજાની વાતોનું પણ સન્માન કરો.

બોધપાઠ

ક્યારેક-ક્યારેક જીવનમાં સાચા નિર્ણય લેવા માટે સ્વયંને બીજાની જગ્યાએ રાખીને વિચારવું જોઈએ. કાયમ સ્વયંને સાચા માનવું ખોટું છે. જીવન એક દ્રષ્ટિકોણ પર નથી ચાલતું, બધાના વિચારોનું સન્માન કરવું જ સાચું જીવન છે.

આ પણ વાંચજો- જયારે એક દાનવીર રાજાની પરીક્ષા લેવા માટે ઈન્દ્રદેવ અને અગ્નિદેવે ગરુડ અને કબૂતરનું રૂપ ધારણ કર્યું, પછી કબૂતર ઊડીને રાજાના ખોળામાં પડી ગયું, જાણો પછી શું થયું..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો