સુરતમાં યોજાયા અનોખા લગ્ન/ બેન્ડવાજા, જાનૈયા, પંડિત અને ફેરા વિના જ 17 મિનિટમાં યુવક-યુવતીના સાદાઈથી લગ્ન, મહેમાનો ઘરેથી ટીફીન લઈને આવ્યા

કોઈ બેન્ડ-વાજા નહી, કોઈ વરઘોડો કે ડાન્સ-ગીત નહી, કોઈ ફેરા નહી, માત્ર ગુરુ મહારાજના ફોટો પાસે સાદા કપડામાં બેસી બેંક મેનેજર યુવક અને ડોક્ટર યુવતી 17 મિનિટની આરતીથી લગ્નગ્રંથીથી જોડાયા છે. સુરતમાં યોજાયેલા આ અનોખા લગ્નના આયોજનમાં મહેમાનો પણ ઘરેથી ટિફિન લાવી લગ્ન પ્રસંગમાં એકબીજા સાથે ભોજન કરી આ અનોખા લગ્નને ઉત્સાહી બનાવ્યા હતા. સમાજના એક સારા નિમાર્ણ માટે આ યુગલે માત્ર 6 મહિના પહેલા સત્સંગમાં થયેલા પરિચયને લગ્નગ્રંથિમાં બદલી સમાજના કુ-રિવાજો સામે ઉમદું ઉદાહરણ આપ્યું છે.

સમાજના કુ-રિવાજો દૂર કરવાનો નિર્ણય કર્યો

અમદાવાદ ખાતે રહેતા નિહાર જનકભાઈ શાહ (ઉ.વ. 26) અમદાવાદ ખાતે પરિવાર સાથે રહે છે અને બેંક મેનેજર તરીકે કામ કરે છે. જ્યારે 6 મહિના પહેલા સત્સંગમાં સુરતમાં રહેતી અશ્વિની પ્રભાકર દુવાડેના સંપર્કમાં આવ્યા હતા. ત્યારબાદ પરિચયને લગ્નગ્રંથિમાં બદલી સમાજના કુ-રિવાજો દૂર કરવાનો નિર્ણય કર્યો હતો. જેથી કોઈ બેન્ડ-વાજા નહિ, કોઈ વરઘોડો કે ડાન્સ-ગીત નહિ, કોઈ પીડિત કે ફેરા નહિ, માત્ર ગુરુ મહારાજના ફોટો પાસે સાદા કપડામાં બેસી આજે લગ્ન કર્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો