સરકારની સહાય વગર જ ગુજરાતનું આ ગામ બન્યું આદર્શ ગામ, રિવરફ્રંટથી લઇ બ્રિજ, ક્રીડાંગણ અને જિમ જેવી તમામ સુવિધાઓથી સજ્જ

સરકારની સહાયની દરકાર રાખ્યા વિના પણ ગામનો વિકાસ થઇ શકે આવું શક્ય છે? એનો જવાબ છે હા… મહેસાણા જિલ્લાના મક્તુપુરના રહેવાશીઓના અનોખા અભિગમે ગામને સ્વર્ગ સમાન બનાવી દીધું છે.

અજય ગોલ્ડન બ્રિજ, ઇચ્છાબા પરબ, અમથાભા ગાર્ડન અને જિમ, મેનાબા પક્ષીઘર, જીવીબા ગ્રંથાલય, નિલેશ ક્રીડાંગણ, પશાભા પથ અને તળાવને કાંઠે તૈયાર થતું દત્ત મંદિર આ કોઇ સરકારી સહાયમાંથી બનેલા નથી પણ પોતાના સ્વજનના મૃત્યુ બાદ તેમની યાદમાં ગ્રામજનો દ્વારા જ નીર્માણ કરેલું સંભારણું છે. એક પંથ તિન કાજ જેવા આ અભીગમથી ગામમાં સુવિધા વધે છે સાથે જ લોકો ઉપીયોગી કાર્યો અને સ્વજનની યાદ સચવાયેલી રહે છે.

એક સમયે રાતના અંધારામાં ભયજનક લાગતા, ગામનો કચરો ઠાલવવાનું સ્થળ બની ગયેલા આ પૌરાણિક કાણિયાં તળાવને એક યુવાને પોતોના પીતાની યાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પરથી પ્રેરણા લઇ પુનઃ નિર્માણ કરવાનું સપનું જોયું. જેને હીરાભા દત્ત સરોવર તરીકે વિકાસ કરવામાં આવ્યું તળાવનું પુન: નિર્માણ થતાં ગામલોકોને મનોરંજન હેતુ માટે ક્યાંય બહાર જવાની જરૂર પડતી નથી.

પોતાના સ્વજન સ્વર્ગવાશી થાય તો તેને દુનીયા યાદ રાખે તેવી મહેચ્છા દરેકની હોય અને તેના માટે સ્વજનો તેમની યાદગીરીમાં દાન-દક્ષીણા કે મંદીરમાં તકતી લગાવતા હોય. પણ પોતાના મૃત્યુ પામેલા સ્વજનની યાદમાં આખા ગામને ઉપીયોગી થાય એવું કાંઇક કરવામાં આવે તો એ સ્વજનને ખરી શ્રદ્ધાંજલિ આપી ગણાય અને આવું આખું ગામ વિચારે તો ગામ ગોકુળીયું બની જાય.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો