કાર્તિકી પૂર્ણિમાની રાત્રે ચંદ્ર, સોમનાથના શિખર પરનું ત્રિશુલ અને શિવલિંગ એકજ સીધી લીટીમાં આવ્યા હતા, જોઇ લો સુંદર અને ભવ્ય નજારો.

ભૂગોળશાસ્ત્રમાં એવી અનેક ઘટનાઓ બને છે, જેણે લોકો શ્રદ્ધાની નજરે જોતા હોય છે. ગઇકાલે મંગળવારે દેવદિવાળી એટલે કે કાર્તિકી પુર્ણિમાએ એક અલૌકિક ઘટના બની હતી. કાર્તિકી પુર્ણિમાને લોકો ત્રિપુરારી પુનમ તરીકે પણ ઓળખે છે, ત્યારે દેશભરના અનેક મંદિરોમાં ભક્તોની ભીડ જામી હતી. ત્યારે ગુજરાતના સોમનાથ મંદિરમાં પણ ભક્તોની ભારે ભીડ જામી હતી. વર્ષમાં એકવાર બનતો સંયોગ જે વાસ્તવમાં ભૂગોળશાસ્ત્રની એક ઘટના છે, પણ શ્રદ્ધાળુઓને તેણે આસ્થાની નજરે નિહાળે છે.

સોમનાથમાં કાર્તિકી પૂર્ણિમાની રાતે 12 વાગ્યે જોવા મળ્યો અલૌકિક નજારો

કાર્તિકી પૂનમના દિવસે ખાસ ભગવાન સોમનાથ ચંદ્રને પોતાના મસ્તક ઉપર ધારણ કરે છે. શાસ્ત્રોક્ત રીતે જ્યારે ચંદ્રમાં ભગવાન ભોળાનાથ ઉપર બિરાજે છે ત્યારે થોડીક ક્ષણો માટે અમૃતની વર્ષા થતી હોવાની આસ્થા છે. ત્યારે છેલ્લા કેટલાય વર્ષો અનેક શિવભકતો દૂરદૂરથી આવીને આ મધ્યરાત્રિએ સોમનાથ ખાતે અચૂક આવે છે.

મંગળવારે સોમનાથ મંદિરમાં લાખો ભક્તો પહોંચ્યા હતા, જ્યાં મધ્ય રાત્રિએ ભકતોએ સોમનાથમાં મહાઆરતી અને મંદિરના માથે બિરાજેલા ચંદ્રના દર્શન કરી ધન્ય બન્યા હતા. મંગળવારે રાત્રે કૃતિકા નક્ષત્રમાંથી પસાર થતાં ચંદ્રદેવ સોમનાથ મહાદેવના શિખર પર શોભાયમાન બન્યા, ત્યારે આ અલૌકિક ઘટના નિહાળી ભક્તોએ ધન્યતા અનુભવી હતી.

કાર્તિકી પૂર્ણિમાની રાત્રીએ ચંદ્ર, સોમનાથના શિખર પરનું ત્રિશુલ અને શિવલિંગ એકજ સીધી લીટીમાં આવ્યા હતા.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેશબુક પેઈજ પર મોકલાવો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો