25000 લાવારિસ શવનો અંતિમ સંસ્કાર કરનાર શરીફ ચાચાને પદ્મશ્રીથી સન્માનિત કરાશે, કહાની સાંભળી તમારા રૂંવાટા ઉભા થઇ જશે,

ભારત સરકારે વર્ષ 2020 માટે પદ્મ પુરસ્કારથી સન્માનિત થનાર લોકોના નામની ઘોષણા કરી દીધી છે. આ વર્ષે 7 લોકોને પદ્મ વિભૂષણ, 16 લોકોને પદ્મ ભૂષણ અને 118 લોકોને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવશે. આ લિસ્ટમાં સામેલ કેટલાક લોકોની ખુબ ચર્ચા થઇ રહી છે. જેમા એક નામ મોહમ્મદ શરીફનું પણ છે.

મોહમ્મદ શરીફ અયોધ્યામાં ખિડકી અલી બેગ વિસ્તારના રહેવાસી છે. શરિફે લગભગ 25 વર્ષથી બિનવારસી લાશોના અંતિમ સંસ્કારની જવાબદારી પોતાના ખભે ઉઠાવી. અયોધ્યાના લોકો તેમને શરીફ ચાચા કહીને બોલાવે છે.

ફૈજાબાદ અને તેમના નજીકના વિસ્તારોમાં અત્યાર સુધીમાં 25000 લાશોનો અંતિમ સંસ્કાર સંપૂર્ણ રીતી-રિવાજ સાથે કર્યા છે. શરીફ ચાચા વ્યવસાયે સાઇકલ મેકેનિકનું કામ કરે છે. મોહમ્મદ શરીફનું કહેવું છે કે, તેમણે ધર્મના આધાર પર ક્યારેય લાશોના અંતિમ સંસ્કારમાં ભેદભાવ કર્યો નથી. મૃતક વ્યક્તિના ધર્મને ધ્યાનમાં રાખતા તેમનો અંતિમ સંસ્કાર કરવામાં આવે છે.

જો મૃતક મુસ્લિમ છે તો તેની દફનાવવામાં આવે છે અને જો મૃતક હિંદુ છે તો તેને મુખાગ્નિ આપવામાં આવે છે. શરીફ ચાચાને લાવારિસ મૃતદેહોની સાચવણી અને તેમના અંતિમ સંસ્કાર કરવા પાછળની કહાની પણ ખુબ જ દુખભરી છે.

સૂત્રો અનુસાર શરીફના એક પુત્રની હત્યા કરી તેની લાશને ફેંકી દેવામાં આવી હતી. જોકે તેની લાશની ખુબ જ શોધખોળ કરવામાં આવી પરંતુ તેની લાશ મળી નહી. ત્યારથી જ શરીફે બિનવારસી લાશોના અંતિમ સંસ્કાર કરવાની જવાબદારી ઉઠાવી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો