સંકટોનો નાશ કરવા માટે કરવામાં આવે છે સંકષ્ટ ચતુર્થી વ્રત, આ દિવસે ભગવાન ગણેશ અને ચંદ્ર દેવની ઉપાસના કરવામાં આવે છે

સંકષ્ટ ચોથ ભગવાન ગણેશને સમર્પિત છે. શ્રદ્ધાળુઓ આ દિવસે પોતાના ખરાબ સમય અને જીવનની મુશ્કેલીઓને દૂર કરવા માટે ભગવાન ગણેશજીની પૂજા કરે છે. હિન્દુ પંચાંગમાં પ્રત્યેક ચંદ્ર માસમાં બે ચતુર્થી હોય છે. પૂનમ પછી આવનારી કૃષ્ણ પક્ષની ચોથને સંકષ્ટ ચોથ કહે છે. આ વખતે શુક્રવાર, 15 નવેમ્બરે છે. આ દિવસે ભગવાન ગણેશ અને ચંદ્રની ઉપસના કરવાનો દિવસ છે. જે કોઈ આ દિવસે શ્રીગણપતિની ઉપાસના કરે છે, તેના જીવનના સંકટ ટળી જાય છે.

પૂજા વિધિ-

શ્રદ્ધાળુ આ દિવસે વહેલાં ઊઠીને ભગવાન ગણેશની પૂજા કરે છે. તથા વ્રત રાખે છે. જે વ્યક્તિ આ દિવસે વ્રત રાખે છે તે આખો દિવસ માત્ર દૂધ કે ફળ જ ખાય છે. તે સિવાય કેટલાક લોકો કાચા શાકભાજી, ફળ, મગફળી તથા બટાકા પણ ખાય છે. સાંજ પછી સૂર્યાસ્તની પહેલાં સ્નાન કરવામાં આવે છે. ત્યારબાદ શ્રીગણેશની મૂર્તિને તાજા ફૂલોથી સજાવવામાં આવે છે. ચંદ્ર દર્શન કર્યા પછી પૂજા કરવામાં આવે છે તથા વ્રત કથા વાંચવામાં આવે છે. ત્યારબાદ જ સંકષ્ટ ચતુર્થી વ્રત પૂરું થાય છે.

આ વ્રતનું મહત્વ-

ચતુર્થીના દિવસે ચંદ્ર દર્શનને ખૂબ જ શુભ માનવામાં આવે છે. ચંદ્રોદય પછી જ વ્રત પૂરું થાય છે. માન્યતા છે કે જે વ્યક્તિ આ દિવસે વ્રત રાખે છે તેને સંતાનને લગતી સમસ્યાઓ નથી રહેતી. અપયશ અને બદનામીના યોગ ટળી જાય છે. દરેક પ્રકારના કાર્યોમાં આવતી બાધાઓ દૂર થાય છે. ધન તથા દેવાને લગતી સમસ્યાઓનું સમાધાન થાય છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો