મહાકાલેશ્વર જ્યોતિર્લિંગમાં રોજ થાય છે ‘ભસ્મ આરતી’, સૃષ્ટિનો સાર ભસ્મ હોવાથી ભગવાન શિવ તેને ધારણ કરે છે

ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગમાંથી એક ઉજ્જૈનમાં આવેલા મહાકલેશ્વર જ્યોતિર્લિંગમાં રોજ ભસ્મની આરતી થાય છે. ભસ્મથી શિવલિંગ પર શ્રુંગાર કરવામાં આવે છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય અને શિવપુરાણ કથાકાર પંડિત મનીષ શર્મા પ્રમાણે, શિવજીને ભસ્મ ઘણી પ્રિય છે. તે ભગવાનનો મુખ્ય શણગાર છે.

દરેક દેવી-દેવતાઓ શણગાર માટે સોના-ચાંદી અને હીરા-મોતીના આભૂષણ ધારણ કરે છે, પરતું શિવજીનું સ્વરૂપ સૌથી નિરાળું છે. મહાદેવ ભસ્મ અને નાગ ધારણ કરે છે. મહાકાલેશ્વર મંદિરમાં ભસ્મ આરતીની પરંપરા ઘણા વર્ષોથી ચાલતી આવી છે, તેની પાછળ ઘણી માન્યતાઓ પ્રચલિત છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

ભસ્મ સુષ્ટિનો સાર છે

ભસ્મને સૃષ્ટિનો સાર માનવામાં આવ્યો છે, એટલે કે એક દિવસ આખી સૃષ્ટિનો અંત થશે અને તે રાખમાં ફેરવાઈ જશે, આ રાખ એટલે કે ભસ્મ શિવજી ધારણ કરે છે. તેનો સંદેશ એ છે કે,જ્યારે સંસારનો નાશ થશે ત્યારે દરેક પ્રાણીઓની આત્મા અને આખી સૃષ્ટિ શિવજીમાં જ વિલીન થઇ જશે. શાસ્ત્રોની માન્યતા છે કે, સમય-સમય પર પ્રલય થાય છે અને બધું નષ્ટ થઇ જાય છે. ત્યારબાદ બ્રહ્માજી સૃષ્ટિની રચના કરે છે અને આ ક્રમ ચાલતો જ રહે છે.

કેવી રીતે ભસ્મ તૈયાર થાય છે ?

શિવપુરાણ પ્રમાણે ભસ્મને તૈયાર કરવા માટે કપિલા ગાયના છાણા, પીપળો, વડ, ગરમાળો અને બોરના વૃક્ષની લાકડીઓને એકસાથે અગ્નિ આપવામાં આવે છે. મંત્રોચ્ચાર કરવામાં આવે છે. આ વસ્તુઓથી જે ભસ્મ તૈયાર થાય છે તેને કપડાંથી ચાળવામાં આવે છે. આ પ્રકારે તૈયાર કરેલી ભસ્મ શિવલિંગ પર અર્પિત કરવામાં આવે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો