સુરતમાં ઘરની દીકરીઓની વિધિપૂર્વક આરતી ઉતારીને વેપારીએ ધન તેરસની કરી અનોખી ઉજવણી

દીકરીઓને લક્ષ્મીનું સ્વરૂપ માનીને વેપારીએ આ વર્ષથી ધન તેરસની અનોખી રીતે ઉજવણી કરી હતી. નાનપુરા ટીમલીયાવાડમાં રહેતા આશિષ જૈને આ વર્ષે ધનતેરસે નવો ચીલો ચાતરતાં દીકરીઓની પૂજા કરવાનું નક્કી કર્યું હતું. જેમાં તેમને અન્ય ચાર પરિવારે સાથ આપતાં પાંચેય પરિવારે મળીને પાંચ દીકરીઓની પૂજા કરી આરતી ઉતારી હતી અને ખરા અર્થમાં લક્ષ્મી પૂજા કરી હોવાનો અહેસાસ કર્યો હતો.

લોકોમાં જાગૃતિની જરૂર

બાળકીઓની પૂજા કરી દિવાળી પર્વની ઉજવણીની શરૂઆત કરનારા આશિષભાઈ જૈને જણાવ્યું હતું કે, દરવર્ષે તેઓ લક્ષ્મી માતાની પૂજા અર્ચના પરંપરાગત રીતે કરે છે. પરંતુ આ વખતે તેમને વિચાર આવ્યો કે, દીકરીઓ પણ લક્ષ્મીનું જ સ્વરૂપ છે. દીકરીઓને કન્યાદાન વખતે લક્ષ્મી માનીને જ પૂજા કરવામાં આવે છે ત્યારે ધનતેરસે પણ દીકરીઓની પૂજા કરવી જોઈએ. ખાલી નારેબાજીથી નહી ચાલે દીકરા દીકરી એક સમાનનો વિચાર સારો છે પરંતુ તેના માટે ગ્રાઉન્ડ લેવલ પર કંઈ થતું નથી. જેથી લોકોમાં જાગૃતિ આવે અને દીકરીઓ પ્રત્યે પણ લોકોમાં સન્માનની લાગણી અને ભાવ પ્રગટે તે માટે દીકરીની પૂજા કરવામાં આવી છે. આ વર્ષે પ્રથમ વાર દીકરીઓની પૂજા કરવામાં આવી છે પરંતુ હવેથી દરવર્ષે પૂજા કરવામાં આવશે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો