ઘરની ઉત્તર દિશામાં શિવજીની સાથે જ માતા પાર્વતી, ગણેશજી, કાર્તિકેય સ્વામી અને નંદીનો ફોટો જરૂર રાખવો જોઈએ, જાણો શિવજીના ફોટા અને મૂર્તિ સાથે જોડાયેલી ખાસ વાતો

ઘરમાં હકારાત્મકતા ટકાવી રાખવા માટે ઘરમાં દેવી-દેવતાઓના ફોટો અને મૂર્તિઓ રાખવાની પરંપરા પ્રાચીનકાળથી જ ચાલી આવે છે. આ સંબંધમાં માન્યતા છે કે દેવી-દેવતાઓના પ્રતીક ચિહ્ન, મૂર્તિ, ફોટાના રોજ દર્શન કરવાથી આપણો સ્વભાવ હકારાત્મક થવા લાગે છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં.મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે શિવપુરાણમાં જણાવ્યું છે કે શિવજીની ઈચ્છાથી જ આ સંપૂર્ણ સૃષ્ટિની રચના બ્રહ્માજી દ્વારા કરવામાં આવી હતી. તેને લીધે ઘણા લોકો શિવજીને સર્વશ્રેષ્ઠ માને છે અને ઘરમાં શિવજીનો ફોટો કે મૂર્તિ જરૂર રાખે છે. અહીં જાણો શિવજીના ફોટા અને મૂર્તિ સાથે જોડાયેલી ખાસ વાતો…

શિવજીનો નિવાસ કૈલાશ પર્વત પર માનવામાં આવે છે. આ પર્વત ઉત્તર દિશામાં છે. એટલા માટે શિવજીની મૂર્તિ કે ફોટો ઘરની ઉત્તર દિશામાં લગાવવો જોઈએ. આ દિશામાં ફોટો કે મૂર્તિ એવી રીતે લગાવો કે ઘરમાં આવતાં-જતાં બધા લોકો ભગવાનના દર્શન આસાનીથી કરી શકે.

ઘરમાં શિવજીના એવા ફોટો કે મૂર્તિ લગાવવા જોઈએ કે જેમાં તેઓ પ્રસન્ન દેખાઈ રહ્યાં હોય. નંદી પર સવાર થયેલાં હોય કે પછી ધ્યાનમાં બેઠેલાં હોય. એવા સ્વરૂપના દર્શન કરવાથી આપણા સ્વભાવમાં પણ શાંતિ અને હકારાત્મકતા વધે છે. જ્યારે શિવજીના ક્રોધિત સ્વરૂપમાં રોજ દર્શન કરવાથી આપણા સ્વભાવમાં પણ ક્રોધ વધી શકે છે. એટલા માટે શિવજીના ક્રોધિત સ્વરૂપમાં ઘરમાં ફોટો કે મૂર્તિ રાખવાથી બચવું જોઈએ.

શિવજીની સાથે જ માતા પાર્વતી, ગણેશજી, કાર્તિકેય સ્વામી અને નંદીની તસવીર પણ જરૂર રાખવી જોઈએ. શિવ પરિવારની પૂજા એક સાથે કરવી જોઈએ. જો ઘરના બધા સદસ્યો એકસાથે શિવ પરિવારની પૂજા કરે તો બધાની વચ્ચે પરસ્પર પ્રેમ ટકી રહે છે. જ્યાં શિવજીનો ફોટો કે મૂર્તિ લગાવી હોય, ત્યાં સાફ-સફાઈનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો