ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો: છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 11084 કેસો નોંધાયા, 121 લોકોના કોરોનાથી મોત, 14,770 દર્દીઓ સ્વસ્થ થયાં

છેલ્લા એક અઠવાડિયાથી કોરોનાના દૈનિક કેસને લઇ રાહતના સમાચાર આવી રહ્યા છે. કોરોના મહામારી ગુજરાતમાં ધીરે-ધીરે હાંફી રહ્યો હોય તેમ સતત કેટલાક દિવસથી આ મહામારીના પોઝિટિવ કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. આજે એક જ દિવસમાં રાજ્યના દૈનિક કેસમાં 808 કેસનો ઘટાડો નોંધાયો છે. વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના નવા 11084 કેસ નોંધાયા છે. બીજી તરફ રાજ્યમાં કોરોના ના કારણે વધુ 121 દર્દીના મોત નીપજ્યા છે. ત્યાં જ વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં રેકોર્ડ બ્રેક અત્યાર સુધીના સૌથી વધુ એક જ દિવસમાં 14,770 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

અત્યાર સુધીમાં રાજ્યના કુલ 8394 નાગરિકોનો કોરોના ભરખી ગયો છે. બીજી તરફ આજે વધુ 14,770 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં સંક્રમિત થયેલા કુલ દર્દીઓમાંથી 5,33,004 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. છેલ્લી સ્થિતિ પ્રમાણે રાજ્યમાં કુલ 139614 દર્દી સારવાર હેઠળ છે. નાજુક સ્થિતિના કારણે 786 દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 11084 કેસ નોંધાયા છે સાથે જ આજે છેલ્લા 24 કલાકમાં 121 દર્દીના મોત નિપજ્યા છે. અમદાવાદમાં નવા 2955 કેસ સાથે 19 દર્દીનાં મોત, સુરતમાં નવા 1110 કેસ સાથે 12 દર્દીના મોત, વડોદરામાં નવા 1161 કેસ સાથે 12 દર્દીના મોત, રાજકોટમાં નવા 746 કેસ સાથે 13 દર્દીના મોત, જામનગરમાં નવા 586 કેસ સાથે 14 દર્દીના મોત, ભાવનગરમાં નવા 375 કેસ સાથે 4 દર્દીના મોત, ગાંધીનગરમાં નવા 270 કેસ સાથે એક દર્દીનું મોત, જૂનાગઢમાં નવા 484 કેસ સાથે 11 દર્દીના મોત, મહેસાણામાં 483, ભરૂચમાં 248, પંચમહાલમાં 246 કેસ, ગીર સોમનાથમાં 211, આણંદમાં 189, દાહોદમાં 184 કેસ, કચ્છમાં 179, ખેડામાં 161, બનાસકાંઠામાં 143 કેસ, પાટણમાં 142, અમરેલીમાં 141, મહિસાગરમાં 140 કેસ, નવસારીમાં 110, સાબરકાંઠામાં 108, અરવલ્લીમાં 106 કેસ, વલસાડમાં 98, દ્વારકામાં 94, છોટાઉદેપુરમાં 84 કેસ, નર્મદામાં 84, સુરેન્દ્રનગરમાં 74, તાપીમાં 54 કેસ, મોરબીમાં 44, પોરબંદરમાં 37, ડાંગમાં 14, બોટાદમાં 14 કેસ નોઁધાયા છે.

છેલ્લી સ્થિતિ મુજબ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 139614 પહોંચી ગઈ છે. જ્યારે નાજુક સ્થિતિના કારણે કુલ 786 દર્દીઓને હાલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવેલા છે. જ્યારે 138828 દર્દીઓ સ્ટેબલ છે. ગુજરાતમાં રિકવરી રેટ હાલમાં 78.27% એ આવી ગયો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો