ગુજરાતમાં કોરોનાના કેસમાં રાહત: આજે કોરોનાનાં 30 કેસો નોંધાયા, એક પણ દર્દીનું મોત થયુ નથી, 57 દર્દીઓએ કોરોનાને માત આપી

કોરોના મહામારીની સંભવિત ત્રીજી લહેરના ભણકારા વચ્ચે આજે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં માત્ર 30 કોરોના કેસ નોંધાયા છે. જોકે રિકવરી રેટ 98.74 ટકાએ પહોંચી ગયો છે. વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં 57 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. ત્યાં જ રાહતના સમાચાર એ છે કે, સતત એક અઠવાડિયાથી કોરોનાથી એક પણ દર્દીનું રાજ્યમાં મોત થયુ નથી.

અત્યાર સુધીમાં રાજ્યના કુલ 10,076 નાગરિકોનો કોરોના ભરખી ગયો છે. બીજી તરફ આજે વધુ 57 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં સંક્રમિત થયેલા કુલ દર્દીઓમાંથી 8,14,413 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. છેલ્લી સ્થિતિ પ્રમાણે રાજ્યમાં કુલ 285 દર્દી સારવાર હેઠળ છે. નાજુક સ્થિતિના કારણે 05 દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે.

ગુજરાતમાં આજે કોરોનાના નવા 30 કેસ નોંધાયા છે ત્યાં જ આજે કોરોનાથી એક પણ દર્દીનું મોત થયુ નથી. સુરત કોર્પોરેશન 8, અમદાવાદ કોર્પોરેશન 4, સુરત 3, વડોદરા કોર્પોરેશન 3, મહેસાણા 2, પંચમહાલ 2, રાજકોટ કોર્પોરેશન 2, અમરેલી 1, આણંદ 1, જામનગર 1, જામનગર કોર્પોરેશન 1, કચ્છ 1, વડોદરા 1 કેસ નોંધાયા છે.

છેલ્લી સ્થિતિ મુજબ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 285 પહોંચી ગઈ છે. જ્યારે નાજુક સ્થિતિના કારણે કુલ 05 દર્દીઓને હાલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવેલા છે. જ્યારે 280 દર્દીઓ સ્ટેબલ છે. ગુજરાતમાં રિકવરી રેટ હાલમાં 98.74% એ આવી ગયો છે.”

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો