ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો: છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 11892 કેસો નોંધાયા, 119 લોકોના કોરોનાથી મોત, 14,737 દર્દીઓ સ્વસ્થ થયાં

કોરોનાના દૈનિક કેસને લઇ રાહતના સમાચાર છે. સતત કેટલાક દિવસથી આ મહામારીના પોઝિટિવ કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. આજે એક જ દિવસમાં રાજ્યના દૈનિક કેસમાં 172 કેસનો ઘટાડો નોંધાયો છે. વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના ના નવા 11892 કેસ નોંધાયા છે. બીજી તરફ રાજ્યમાં કોરોના ના કારણે વધુ 119 દર્દીના મોત નીપજ્યા છે. ત્યાં જ વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં રેકોર્ડ બ્રેક અત્યાર સુધીના સૌથી વધુ એક જ દિવસમાં 14,737 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

અત્યાર સુધીમાં રાજ્યના કુલ 8273 નાગરિકોનો કોરોના ભરખી ગયો છે. બીજી તરફ આજે વધુ 14,737 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં સંક્રમિત થયેલા કુલ દર્દીઓમાંથી 518234 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. છેલ્લી સ્થિતિ પ્રમાણે રાજ્યમાં કુલ 143421 દર્દી સારવાર હેઠળ છે. નાજુક સ્થિતિના કારણે 782 દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 11892 કેસ નોંધાયા છે સાથે જ આજે છેલ્લા 24 કલાકમાં 119 દર્દીના મોત નિપજ્યા છે. અમદાવાદમાં નવા 3442 કેસ સાથે 16 દર્દીનાં મોત, સુરતમાં નવા 1162 કેસ સાથે 12 દર્દીના મોત, વડોદરામાં નવા 1139 કેસ સાથે 12 દર્દીના મોત, રાજકોટમાં નવા 686 કેસ સાથે 12 દર્દીના મોત, જામનગરમાં નવા 646 કેસ સાથે 13 દર્દીના મોત, ભાવનગરમાં નવા 379 કેસ સાથે 12 દર્દીના મોત, જૂનાગઢમાં નવા 505 કેસ સાથે 10 દર્દીના મોત, ગાંધીનગરમાં નવા 284 કેસ સાથે 2 દર્દીના મોત, મહેસાણામાં 588, બનાસકાંઠામાં 280, પંચમહાલમાં 231 કેસ, ગીર સોમનાથમાં 223, કચ્છમાં 189, દાહોદમાં 179 કેસ, આણંદમાં 176, મહિસાગરમાં 175, અરવલ્લીમાં 171 કેસ, પાટણમાં 155, અમરેલીમાં 146, ખેડામાં 139 કેસ, સાબરકાંઠામાં 139, ભરૂચમાં 131, નવસારીમાં 121 કેસ, વલસાડમાં 102, છોટા ઉદેપુરમાં 98, સુરેન્દ્રનગરમાં 76 કેસ, મોરબીમાં 72, નર્મદામાં 67, દ્વારકામાં 58 કેસ, તાપીમાં 49, પોરબંદરમાં 46, બોટાદમાં 30, ડાંગમાં 8 કેસ નોંધાયા છે.

છેલ્લી સ્થિતિ મુજબ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 143421 પહોંચી ગઈ છે. જ્યારે નાજુક સ્થિતિના કારણે કુલ 782 દર્દીઓને હાલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવેલા છે. જ્યારે 142639 દર્દીઓ સ્ટેબલ છે. ગુજરાતમાં રિકવરી રેટ હાલમાં 77.36% એ આવી ગયો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો