ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો: આજે કોરોનાનાં 62 કેસો નોંધાયા, રાજ્યમાં એક પણ મોત નહીં, 534 દર્દીઓએ કોરોનાને માત આપી

રાજ્યમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો હતો રાજ્યમાં કોરોનાના નવા કેસ માં સતત ઘટાડો થતા રાહતની લાગણી અનુભવાઈ છે આજે રાજ્યમાં પહેલીવાર નવા કેસની સંખ્યા 100થી ઓછી થઇ છે આજે નવા 62 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે આજે વધુ 534 દર્દીઓ રિકવર થયા છે

રાજ્યમાં આજે કોરોનાના નવા 62 પોઝીટીવ  કેસ નોંધાયા છે જયારે વધુ  534 દર્દીઓ સ્વસ્થ થયા છે અત્યાર સુધીમાં કુલ 8.12.522 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે આજે રાજ્યમાં આજે કોરોનાથી એકપણ દર્દીનું મોત થયું નથી ,,રાજ્યમાં મૃત્યુઆંક 10072 છે,રાજ્યમાં રિકવરી રેટ 98.60 ટકા થયો છે

રાજ્યમાં કોરોના કેસોનો કુલ આંક 8,20,163 પર પહોંચ્યો છે. તો કુલ 8,12,522 દર્દીઓએ કોરોનાને માત આપી છે. આ ઉપરાંત કુલ એક્ટિવ કેસનો આંક 1497 પર પહોંચ્યો છે. જેમાંથી 9 દર્દીઓ વેન્ટિલેટર પર છે. જ્યારે 1488 દર્દીઓની હાલત સ્થિર છે.

ગુજરાતમાં કોરોનાના નવા 62 કેસમાંથી અમદાવાદમાં 15, સુરતમાં 12, રાજકોટમાં 6 કેસ, વડોદરામાં 8, ભાવનગરમાં 2, જામનગરમાં 2 કેસ, જૂનાગઢમાં 2 અને ગાંધીનગરમાં 1 કેસ, અમરેલી – દ્વારકા – પંચમહાલમાં 2 – 2 કેસ, બનાસકાંઠા – ભરૂચ – બોટાદ – દાહોદમાં 1 – 1 કેસ, ગીરસોમનાથ – નવસારી – તાપી – વલસાડમાં 1 – 1 કેસ નોંધાયા હતા.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો