ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો: આજે કોરોનાનાં 65 કેસો નોંધાયા, રાજ્યમાં એક પણ મોત નહીં, 289 દર્દીઓએ કોરોનાને માત આપી

ગુજરાતમાં કોરોના મહામારીના કેસ સતત ઘટી રહ્યા છે અને રિકવરી રેટ પણ હવે 98.54 ટકાએ પહોંચી ગયો છે. ગુજરાતમાં સતત 100થી પણ ઓછા કેસ નોંધાય રહ્યા છે જે એક રાહતભર્યા સમાચાર છે. ત્યારે રાજ્યના નાગરીકો માટે વધુ એક રાહતના સમાચાર એ છે કે, છેલ્લા 24 કલાકમાં એક પણ દર્દીનું મોત થયુ નથી. આજે કોરોનાનાં નવા 65 પોઝિટિવ કેસ નોંધાયા છે. વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં 289 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ કોર્પોરેશનને બાદ કરતા તમામ જિલ્લા અને શહેરોમાં સિંગલ ડિજિટમાં કેસ આવ્યા છે. 16 જિલ્લામાં એક પણ કેસ નોંધાયો નથી.

અત્યાર સુધીમાં રાજ્યના કુલ 10,072 નાગરિકોનો કોરોના ભરખી ગયો છે. બીજી તરફ આજે વધુ 289 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં સંક્રમિત થયેલા કુલ દર્દીઓમાંથી 8,11,988 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. છેલ્લી સ્થિતિ પ્રમાણે રાજ્યમાં કુલ 1969 દર્દી સારવાર હેઠળ છે. નાજુક સ્થિતિના કારણે 10 દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે.

ગુજરાતમાં આજે કોરોનાના નવા 65 કેસ નોંધાયા છે. અમદાવાદ કોર્પોરેશન 13, અમરેલી 2, આણંદ 4, બનાસકાંઠા 1, ભરૂચ 4, દેવભૂમિ દ્વારકા 1, ગાંધીનગર 1, ગીર સોમનાથ 1, જામનગર 1, જામનગર કોર્પોરેશન 1, જુનાગઢ 1, જુનાગઢ કોર્પોરેશન 1, ખેડા 1, મહેસાણા 1, નર્મદા 1, નવસારી 2, પંચમહાલ 1, પોરબંદર 1, રાજકોટ કોર્પોરેશન 7, સુરત 1, સુરત કોર્પોરેશન 10, વડોદરા 4, વડોદરા કોર્પોરેશન 3, વલસાડ 2 કેસ નોંધાયા છે.

છેલ્લી સ્થિતિ મુજબ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 1969 પહોંચી ગઈ છે. જ્યારે નાજુક સ્થિતિના કારણે કુલ 10 દર્દીઓને હાલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવેલા છે. જ્યારે 1959 દર્દીઓ સ્ટેબલ છે. ગુજરાતમાં રિકવરી રેટ હાલમાં 98.54% એ આવી ગયો છે.”

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો