ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ધીમું પડયું: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 667 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 2,49,913 થયો

રાજ્યમાં ધીમે ધીમે કોરોનાનાં કેસોમાં (Gujarat Corona) સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. તેવામાં રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં વધુ 667 કેસો નોંધાયા હતા. જ્યારે 3 દર્દીઓને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. તેમજ છેલ્લા 24 કલાકમાં 899 દર્દીઓ સાજા થયા હતા. રાજ્યમાં કોરોના કેસનો કુલ આંકડો 2,49,913 પર પહોંચ્યો છે.

રાજ્યમાં હાલ કુલ એક્ટિવ કેસોની સંખ્યા 8359 છે. જેમાંથી 58 દર્દીઓ વેન્ટિલેટર પર છે તો 8301 દર્દીઓની હાલત સ્થિર છે. રાજ્યમાં કોરોનાને કારણે કુલ 4332 દર્દીઓનાં મોત નિપજ્યા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં અમદાવાદ કોર્પોરેશનમાં 2, સુરત કોર્પોરેશનમાં 1 એમ કુલ 3 દર્દીઓનાં મોત નિપજ્યા છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 899 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ 2,37,222 લોકો સાજા થયા છે. અને હાલ ગુજરાતનો રિકવરી રેટ 94.92 ટકા પર પહોંચ્યો છે. આજે રાજ્યમાં 47,942 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જ્યારે રાજ્યમાં કુલ 4, 93, 249 વ્યક્તિઓ ક્વોરન્ટાઈન હેઠળ છે.

આજે નોંધાયેલ કોરોનાનાં કેસની વિગતો જોઈએ તો, અમદાવાદમાં નવા 133 કેસ, 2નાં મોત, સુરતમાં નવા 120 કેસ, એકનું મોત, વડોદરામાં 119 અને રાજકોટમાં 80 કેસ, ગાંધીનગરમાં 17 અને જામનગરમાં 21 કેસ, જૂનાગઢમાં 21 અને ભાવનગરમાં 15 કેસ, કચ્છમાં 17, ભરૂચમાં 16, દાહોદમાં 14 કેસ, મહેસાણામાં 14, આણંદ-ખેડામાં 10-10 કેસ, બનાસકાંઠા અને સુરેન્દ્રનગરમાં 7 – 7 કેસ, ગીર સોમનાથ અને સાબરકાંઠામાં 6 – 6 કેસ, મોરબી – પંચમહાલમાં 5 – 5, નર્મદામાં 4 કેસ, છોટા ઉદેપુરમાં 4 અને દેવભૂમિ દ્વારકામાં 3 કેસ, અમરેલી, અરવલ્લી, મહિસાગરમાં 2 – 2 કેસ, નવસારી – પાટણમાં 2 – 2, બોટાદમાં 1 કેસ, ડાંગ અને વલસાડમાં 1 – 1 કેસ નોંધાયો હતો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો