ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો: આજે કોરોનાનાં 1681 કેસો નોંધાયા, 18 લોકોના કોરોનાથી મોત, 4721 દર્દીઓએ કોરોનાને માત આપી

ગુજરાતમાં કોરોનાની બીજી લહેર સતત નબળી પડી રહી છે. અને રાજ્યના શહેરોમાં જ્યાં હજારો કેસો નોંધાતા હતા ત્યાં હવે મામૂલી કેસો જ નોંધાઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 1681 કેસ, 18 દર્દીઓનાં મોત અને 4721 દર્દીઓ સાજા થયા હતા. રાજ્યનો રિકવરી રેટ વધીને 94.79 ટકા પર પહોંચ્યો છે. જ્યારે આજે રાજ્માં 2 લાખ 317 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું.

રાજ્યમાં કોરોનાના કુલ કેસોનો આંક 8,05,525 પર પહોંચ્યો છે. જ્યારે કુલ 9833 દર્દીઓનાં મોત નિપજ્યા છે. અને કુલ 7,66,991 દર્દીઓએ કોરોનાને માત આપી છે. અને હાલ રાજ્યમાં કુલ એક્ટિવ કેસોનો આંક ઘટીને 32,345 પર પહોંચ્યો છે. જેમાંથી 496 દર્દીઓ વેન્ટિલેટર પર છે તો 31,849 દર્દીઓની હાલત સ્થિર છે.

અમદાવાદમાં નવા 270 કેસ, 4નાં મોત, વડોદરામાં નવા 327 કેસ, 3નાં મોત, સુરતમાં નવા 217 કેસ, 2નાં મોત, રાજકોટમાં 127 કેસ, જામનગરમાં 65 કેસ, જૂનાગઢમાં 88, ભાવનગરમાં 22, ગાંધીનગરમાં 21 કેસ, પોરબંદરમાં 71, ગીર સોમનાથમાં 45, નવસારીમાં 44 કેસ, ભરૂચમાં 41, આણંદમાં 36, પંચમહાલમાં 34 કેસ, ખેડામાં 33, વલસાડમાં 32, બનાસકાંઠામાં 30 કેસ, કચ્છમાં 30, અમરેલીમાં 28, દ્વારકામાં 22 કેસ, સાબરકાંઠામાં 21, મહેસાણામાં 17, અરવલ્લીમાં 13 કેસ, મહિસાગરમાં 12, પાટણમાં 10, દાહોદમાં 6 કેસ, છોટાઉદેપુર – સુરેન્દ્રનગરમાં 5 – 5 કેસ, નર્મદા – તાપીમાં 4 – 4, મોરબીમાં 1 કેસ નોંધાયા હતા.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો