ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો: આજે કોરોનાનાં 1871 કેસો નોંધાયા, 25 લોકોના કોરોનાથી મોત, 5146 દર્દીઓએ કોરોનાને માત આપી

ગુજરાતમાં કોરોનાના બીજી લહેરનો કહેર હવે ધીમે ધીમે ખતમ થવાના આરે છે. અને ગુજરાતમાં આજે કોરોનાનાં 1871 કેસો નોંધાયા છે. જ્યારે 25 દર્દીઓનાં મોત નિપજ્યા છે. જેની સામે 5146 દર્દીઓ સાજા થયા હતા. કોરોનાની બીજી લહેર તેના અંત તરફ આગળ વધતાં રાજ્યનો રિકવરી રેટ પણ વધીને 94.40 ટકા પર પહોંચ્યો છે. જ્યારે આજે રસીકરણ ઘટીને 1,83,070 પર પહોંચ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

રાજ્યમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 8,03,844 પર પહોંચી છે. જ્યારે અત્યાર સુધી કુલ 9815 દર્દીઓનાં મોત નિપજ્યા છે. અને 7,62,270 દર્દીઓ સાજા થયા છે. હાલમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 35403 પર પહોંચી છે. જ્યારે કુલ 521 દર્દીઓ વેન્ટિલેટર પર છે. અને 34882 દર્દીઓની હાલત સ્થિર છે. 

અમદાવાદમાં નવા 245 કેસ, 5નાં મોત, વડોદરામાં નવા 315 કેસ, 3નાં મોત, સુરતમાં નવા 197 કેસ, 4નાં મોત, રાજકોટમાં નવા 165 કેસ, એકનું મોત, જામનગરમાં નવા 71 કેસ, 2નાં મોત, ભાવનગરમાં નવા 66 કેસ, એકનું મોત, જૂનાગઢમાં નવા 108 કેસ, એકનું મોત, ગાંધીનગરમાં કોરોનાના નવા 24 કેસ, પોરબંદરમાં 75, નવસારીમાં 60, બનાસકાંઠામાં 57 કેસ, ભરૂચમાં 52, પંચમહાલમાં 49, સાબરકાંઠામાં 39 કેસ, કચ્છમાં 36, અરવલ્લી – ગીરસોમનાથમાં 35 – 35 કેસ, મહેસાણા – વલસાડમાં 33 – 33, ખેડ઼ામાં 31 કેસ, આણંદમાં 27, દ્વારકામાં 26, અમરેલીમાં 25 કેસ, મહિસાગરમાં 22, બોટાદમાં 11, નર્મદામાં 10 કેસ, પાટણમાં 8, છોટાઉદેપુરમાં 5, તાપીમાં 4 કેસ, સુરેન્દ્રનગરમાં 3, દાહોદ – મોરબીમાં 2 – 2 કેસ નોંધાયા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો