ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 14,605 કેસો નોંધાયા, 173 લોકોના કોરોનાથી મોત, 10180 દર્દીઓ સ્વસ્થ થયાં

ગુજરાતમાં કોરોના થંભવાનું નામ નથી લઈ રહ્યું. રોજ કોરોનાના કેસોની સાથે સાથે મોતનો આંકડો પણ વધતો જઈ રહ્યો છે. રાજ્યમાં આજે કોવિડ-19ના 14,605 કેસ નોંધાયા છે. એટલે કે ગઈકાલ કરતા કોરોનાના કેસો વધ્યા છે. ગઇકાલે રાજ્યમાં 14327 કેસો નોંધાયા હતા. જો કે સારા સમાચાર એ છે કે રાજ્યમાં કોરોના સામે યુદ્ધ જીતનારા લોકોની સંખ્યામાં એટલે કે સાજા થનારા લોકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.

નોંધનિય છે કે, આજે 10180 દર્દીઓ સાજા થયા છે. તો બીજી તરફ આજે 1,64,425 દર્દીઓને રસી આપવામાં આવી છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 4,18,548 લોકોએ કોરોનાને માત આપી છે. હાલમાં રાજ્યમાં રિકવરી રેટ 73.72 ટકા છે. આજે રાજ્યમાં 173 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

નોંધનિય છે તે અત્યાર સુધીમાં કુલ-96,94,,767 વ્યક્તિઓને પ્રથમ ડોઝનું રસિકરણ પૂર્ણ થયું છે. 23,92,499 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ પૂર્ણ થયુ છે. આમ કુલ-1,20,87,266 રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. હાલમાં રાજ્યમાં કુલ એક્ટિવ કેસ 142046 છે. 613 લોકો વેન્ટિલેટર પર છે જ્યારે 143433 લોકો સ્ટેબલ છે. અત્યારે સુધીમાં 418548 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે જ્યારે 7183 લોકોના મોત થયા છે.

ગુજરાતમાં રસીકરણની કામગીરી ચાલુ હોવા છતાં બીજી તરફ પરિસ્થિતિ બેફામ છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 5391 કેસ તો અમદાવાદ ગ્રામ્યમાં 48 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 1737 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 274 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 645 કેસ, જ્યારે ગ્રામ્યમાં 267 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 621 કેસ અને ગ્રામ્યમાં 42 કેસ નોંધાયા છે. ત્યારે જાણો 24 કલાક દરમિયાન રાજ્યના તમામ જિલ્લામાં નોંધાયેલ કેસની વિગત…

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો