ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો: આજે કોરોનાનાં 1207 કેસો નોંધાયા, 17 લોકોના કોરોનાથી મોત, 3018 દર્દીઓએ કોરોનાને માત આપી

ગુજરાતમાં કોરોનાની બીજી લહેરને બ્રેક વાગી ગઈ છે. અને હવે રાજ્યમાં કોરોના કેસોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાનાં નવા 1207 કેસો નોંધાયા છે. આ ઉપરાંત 3018 દર્દીઓ સાજા થયા છે. અને 17 દર્દીઓનાં મોત નિપજ્યા છે. અને આજે કુલ 1,75,359 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.

કોરોનામાં કુલ કેસોની સંખ્યા 8,09,626 પર પહોંચી છે. અત્યાર સુધીમાં 9890 દર્દીના મોત થયા છે. તો અત્યાર સુધીમાં કુલ 7, 78, 976 દર્દીઓ સાજા થયા છે. આ ઉપરાંત રાજ્યનો રિકવરી રેટ પણ વધીને 95.78 ટકા પર પહોંચ્યો છે. હાલ રાજ્યમાં કુલ એક્ટિવ કેસોનો આંક 24,404 પર પહોંચ્યો છે. જેમાંથી 429 દર્દીઓ વેન્ટિલેટર પર છે. તો 23,975 દર્દીઓની હાલત સ્થિર છે. 

અમદાવાદમાં નવા 196 કેસ, 4નાં મોત, વડોદરામાં નવા 236 કેસ, 2નાં મોત, સુરતમાં નવા 137 કેસ, 3નાં મોત, રાજકોટમાં નવા 88 કેસ, એકનું મોત, જામનગરમાં 45, જૂનાગઢમાં 87 કેસ, ગાંધીનગરમાં 14 અને ભાવનગરમાં 26 કેસ, ગીર સોમનાથમાં 50, અમરેલીમાં 41, આણંદમાં 29 કેસ, ખેડામાં 26, કચ્છમાં 23, વલસાડમાં 22 કેસ, ભરૂચમાં 22, બનાસકાંઠામાં 21, નવસારીમાં 20 કેસ, પંચમહાલમાં 19, સાબરકાંઠામાં 18, અરવલ્લીમાં 13 કેસ, મહેસાણામાં 13, મહિસાગર અને પોરબંદરમાં 12 – 12 કેસ, તાપીમાં 7, દાહોદ અને દેવભૂમિ દ્વારકામાં 6 – 6 કેસ, બોટાદમાં 5, ડાંગમાં 4, નર્મદા – પાટણમાં 3 – 3 કેસ, છોટાઉદેપુર, મોરબી, સુરેન્દ્રનગરમાં 1 – 1 કેસ નોંધાયા હતા

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો