ગુજરાતમાં કોરોનાના કેસમાં ઘટાડો યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 12820 કેસો નોંધાયા, 140 લોકોના કોરોનાથી મોત, 11,999 દર્દીઓ સ્વસ્થ થયાં

કોરોનાના દૈનિક કેસમાં રાહતના સમાચાર છે કે, કોરોનાનાં પોઝિટિવ કેસમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. આજે એક જ દિવસમાં રાજ્યના દૈનિક કેસમાં 158 કેસનો ઘટાડો નોંધાયો છે. વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના નવા 12820 કેસ નોંધાયા છે. બીજી તરફ રાજ્યમાં કોરોના ના કારણે વધુ 140 દર્દીના મોત નીપજ્યા છે. રાજ્યના નાગરિકોને રાહત આપતા સમાચાર એ છે કે, ગત 10 દિવસથી ગુજરાતમાં સાજા થનારા દર્દીની સંખ્યામાં મોટો વધારો થઈ રહ્યો છે. જેના કારણે એક્ટિવ કેસની સંખ્યામાં જે ઝડપે ઉછાળો આવતો હતો એ ગતિમાં ઘટાડો થયો છે. વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં રેકોર્ડ બ્રેક અત્યાર સુધીના સૌથી વધુ એક જ દિવસમાં 11,999 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે.

અત્યાર સુધીમાં રાજ્યના કુલ 7648 નાગરિકોનો કોરોના ભરખી ગયો છે. બીજી તરફ આજે વધુ 11,999 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં સંક્રમિત થયેલા કુલ દર્દીઓમાંથી 452275 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. છેલ્લી સ્થિતિ પ્રમાણે રાજ્યમાં કુલ 147499 દર્દી સારવાર હેઠળ છે. નાજુક સ્થિતિના કારણે 747 દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે.

ગુજરાતમાં કોરોનાના નવા 12820 કેસ સાથે આજે વધુ 140 દર્દીના મોત થયા છે. અમદાવાદમાં નવા 4671 કેસ સાથે 26 દર્દીનાં મોત, સુરતમાં નવા 1656 કેસ સાથે 13 દર્દીનાં મોત, વડોદરામાં નવા 936 કેસ સાથે 14 દર્દીનાં મોત, રાજકોટમાં નવા 524 કેસ સાથે 16 દર્દીનાં મોત, જામનગરમાં નવા 712 કેસ સાથે 14 દર્દીનાં મોત, ગાંધીનગરમાં નવા 317 કેસ સાથે 2 દર્દીનાં મોત, જૂનાગઢમાં નવા 280 કેસ સાથે 9 દર્દીનાં મોત, ભાવનગરમાં નવા 571 કેસ સાથે 12 દર્દીનાં મોત, મહેસાણામાં 493, કચ્છમાં 187, મહિસાગરમાં 169 કેસ, નવસારીમાં 160, દાહોદ – ખેડામાં 159 – 159 કેસ, સાબરકાંઠામાં 141, પાટણમાં 131, આણંદમાં 127 કેસ, વલસાડમાં 125, ગીર સોમનાથમાં 120, મોરબીમાં 110 કેસ, અરવલ્લીમાં 109, પંચમહાલમાં 108, નર્મદામાં 103 કેસ, ભરૂચમાં 101, અમરેલીમાં 99 કેસ, છોટાઉદેપુરમાં 99 કેસ, સુરેન્દ્રનગરમાં 71, દ્વારકામાં 50, તાપીમાં 49 કેસ, પોરબંદરમાં 44, ડાંગમાં 26, બોટાદમાં 14 કેસ નોંધાયા છે.

છેલ્લી સ્થિતિ મુજબ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 147499 પહોંચી ગઈ છે. જ્યારે નાજુક સ્થિતિના કારણે કુલ 747 દર્દીઓને હાલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવેલા છે. જ્યારે 146752 દર્દીઓ સ્ટેબલ છે. ગુજરાતમાં રિકવરી રેટ હાલમાં 74.46% એ આવી ગયો છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો