ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1564 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 2,08,278 થયો

ગુજરાતમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે. હવે ગુજરાતી પ્રજાને કોરોના મહામારીનો અસલ ચહેરો જોવા મળી રહ્યો છે. અમદાવાદ સહિતનાં ચાર શહેરોમાં નાઈટ કરફ્યૂ લાગુ કરવા છતાં પણ રાજ્યમાં કોરોનાનાં કેસોમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. ત્યાં જ અમદાવાદ કોર્પોરેશનની વાત કરીએ તો અહિં રોજબરોજ પોઝિટિવ કેસનો આંકડો વધી રહ્યો છે. આજે એક જ દિવસમાં 319 કેસ સાથે 11 લોકોના મોત નિપજ્યા છે. રાજ્યમાં સતત કેટલાક દિવસથી 1500થી વધુ કોરોના કેસ નોંધાઇ રહ્યા છે.

ગુજરાત (Gujarat)માં કોરોના મહામારીની (Corona Epidemic) સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. કોરોના વાયરસ (CoronaVirus)ના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં ગત બે દિવસમાં સામાન્ય ઘટાડો થયો છે. આજે કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે 1564 પોઝિટિવ કેસ આવ્યા છે (Today 1564 Corona Positive Case In Gujarat). ગુજરાતમાં કોવિડ-19 (Covid-19)ના કુલ કેસોની સંખ્યા વધીને 2,08,278એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ 16 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3969એ પહોંચ્યો છે. જ્યારે 1451 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. જોકે ગુજરાતમાં સાજા થવાનો દર ધીરે ધીરે ઘટી રહ્યો છે અને 90.95 ટકાએ પહોંચ્યો છે. ત્યાં જ આજે રાજ્યમાં 68,960 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં અમદાવાદ કોર્પોરેશન 319, સુરત કોર્પોરેશન 223, વડોદરા કોર્પોરેશન 130, રાજકોટ કોર્પોરેશન 96, ખેડા 57, સુરત 55, રાજકોટ 53, મહેસાણા 51, વડોદરા 41, સુરેન્દ્રનગર 40, બનાસકાંઠા 38, ગાંધીનગર 33, પંચમહાલ 33, પાટણ 30, આણંદ 28, અમદાવાદ 26, દાહોદ 26, ભાવનગર કોર્પોરેશન 25, ગાંધીનગર કોર્પોરેશન 25, જામનગર કોર્પોરેશન 24, કચ્છ 22, ભરૂચ 20, અમરેલી 18, સાબરકાંઠા 18, જુનાગઢ 17, મહીસાગર 16, મોરબી 16, જુનાગઢ કોર્પોરેશન 12, અરવલ્લી 11, જામનગર 11, ગીર સોમનાથ 9, બોટાદ 8, નવસારી 8, નર્મદા 6, તાપી 5, ભાવનગર 4, દેવભૂમિ દ્વારકા 3, પોરબંદર 3, છોટા ઉદેપુર 2, વલસાડ 2 કેસ સામે આવ્યા છે.

આરોગ્ય વિભાગની અખબારી યાદીમાં વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં મોતનો આંકડો વધ્યો છે. આજે રાજ્યમાં 16 દર્દીના મોત નિપજ્યા છે. જેમા સૌથી વધુ અમદાવાદ કોર્પોરેશનમાં 11 લોકોને કોરોના ભરખી ગયો છે ત્યાં જ સુરત કોર્પોરેશન 3, ભરૂચ 1, ખેડા 1 વ્યક્તિએ દમ તોડયો હતો. આમ આજે વિતેલા 24 કલાકમાં કુલ 16 લોકોના મોત નિપજ્યા છે. ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3969એ પહોંચ્યો છે.

ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 1,89,420 નાગરીકો સાજા થઈ ગયા છે. 3969ના અવસાન થયા છે. જ્યારે આજે છેલ્લી સ્થિતિ મુજબ 14,889 સારવાર હેઠળના દર્દીઓ પૈકી 86 વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે અને 14,803 સ્ટેબલ છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો