ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો: આજે કોરોનાનાં 93 કેસો નોંધાયા, 2 લોકોના કોરોનાથી મોત, 326 દર્દીઓએ કોરોનાને માત આપી

ગુજરાતમાં કોરોના મહામારીના કેસ સતત ઘટી રહ્યા છે અને રિકવરી રેટ પણ હવે 98.39 ટકાએ પહોંચી ગયો છે. ગુજરાતમાં આજે 100થી પણ ઓછા કેસ નોંધાયા છે જે એક રાહતભર્યા સમાચાર છે. આજે કોરોનાનાં નવા 93 પોઝિટિવ કેસ નોંધાયા છે. બીજી તરફ રાજ્યમાં કોરોનાના કારણે આજે વધુ 2 દર્દીના મોત નીપજ્યા છે. વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં 326 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યાનાં 21 જિલ્લાઓમાં એક પણ કેસ નોંધાયો નથી.

અત્યાર સુધીમાં રાજ્યના કુલ 10,056 નાગરિકોનો કોરોના ભરખી ગયો છે. બીજી તરફ આજે વધુ 326 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં સંક્રમિત થયેલા કુલ દર્દીઓમાંથી 8,10,147 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. છેલ્લી સ્થિતિ પ્રમાણે રાજ્યમાં કુલ 3230 દર્દી સારવાર હેઠળ છે. નાજુક સ્થિતિના કારણે 11 દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે.

ગુજરાતમાં આજે કોરોનાના નવા 93 કેસની સાથે આજે વધુ 2 દર્દીના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશન 20, સુરત કોર્પોરેશન 18, વડોદરા કોર્પોરેશન 8, રાજકોટ કોર્પોરેશન 7, વડોદરા 7, અમરેલી 4, સુરત 4, આણંદ 3, બનાસકાંઠા 3, ભરૂચ 3, જુનાગઢ 3, નવસારી 3, જામનગર 2, જામનગર કોર્પોરેશન 2, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર કોર્પોરેશન, ગીર સોમનાથ, કચ્છ, રાજકોટ, સુરેન્દ્રનગરમાં 1-1 કેસ નોંધાયા છે.

છેલ્લી સ્થિતિ મુજબ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 3230 પહોંચી ગઈ છે. જ્યારે નાજુક સ્થિતિના કારણે કુલ 11 દર્દીઓને હાલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવેલા છે. જ્યારે 3219 દર્દીઓ સ્ટેબલ છે. ગુજરાતમાં રિકવરી રેટ હાલમાં 98.39% એ આવી ગયો છે. અત્યાર સુધીમાં 2,53,93,866 વ્યક્તિઓને કોરોનાની વેક્સિન આપવામાં આવી છે. જેમાં આજ વધુ 2,65,614 વ્યક્તિઓને કોરોના વેક્સિન આપવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો