ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 14,327 કેસો નોંધાયા, 180 લોકોના કોરોનાથી મોત, 9544 દર્દીઓ સ્વસ્થ થયાં

ગુજરાતમાં કોરોનાની બીજી લહેરે ભારે તબાહી મચાવી છે. હાલમાં ગુજરાતમાં કોરોનાના સંક્રમણની ગતિ થોડી ધીમી પડી છે. પણ કાતિલ કોરોનાને કારણે દિવસે ને દિવસે મોતનો આંકડો સતત વધી રહ્યો છે. આજે રાજ્યમાં કોરોનાનાં 14327 કેસ નોંધાયા છે. જ્યારે 180 લોકોનાં મોત નિપજ્યા છે. જ્યારે 9544 દર્દીઓ સાજા થયા હતા. જ્યારે આજે 1,64,979 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું. 

રાજ્યમાં કોરોના કેસોનો કુલ આંક 5,53,172 પર પહોંચ્યો છે. જ્યારે 4,08,368 વ્યક્તિઓએ કોરોનાને માત આપી છે. રાજ્યનો રિકવરી રેટ ઘટીને 73.82 પર પહોંચ્યો છે. જ્યારે કોરોનાએ અત્યાર સુધી 7010 દર્દીઓને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. જ્યારે એક્ટિવ કેસોનો આંક 1,37,794 પર પહોંચ્યો છે. જ્યારે વેન્ટિલેટર પર 572 દર્દીઓ છે અને 1,37,222 દર્દીઓની હાલત સ્થિર છે. 

રાજ્યમાં જિલ્લાવાર માહિતી જોઈએ તો, અમદાવાદમાં કોરોનાના 5319 કેસ, 25નાં મોત, સુરતમાં કોરોનાના 2192 કેસ, 22 મોત, વડોદરામાં 860 કેસ, 18 મોત, રાજકોટમાં કોરોનાના 636 કેસ, 21નાં મોત, મહેસાણા 511 કોરોના કેસ, 5 મોત, જામનગરમાં 701 કેસ, 18નાં મોત, ભાવનગરમાં 444 કોરોના કેસ, 6 મોત, પાટણમાં કોરોનાના 241 કેસ, 1 મોત, બનાસકાંઠામાં 231 કોરોના કેસ, 4 મોત, દાહોદમાં કોરોનાના 227 કેસ, 2નાં મોત, સુરેન્દ્રનગરમાં કોરોનાના 227 કેસ, 8 મોત, કચ્છમાં 186 કોરોના કેસ, 8 મોત, ભરૂચમાં 185, ગાંધીનગર 349 કેસ, 3 મોત, ખેડામાં 169, જૂનાગઢમાં 293, અમરેલી 146 કેસ, વલસાડ 130, નવસારી 128, આણંદ 125 કેસ, ગીરસોમનાથ 119, પંચમહાલ 116, તાપી 115 કેસ, મહિસાગર 105, અરવલ્લી 93, છોટાઉદેપુર 92 કેસ, મોરબીમાં 87, સાબરકાંઠા 82, નર્મદા 73 કેસ, દેવભૂમિ દ્વારકા 47, પોરબંદર 42, બોટાદ 35, ડાંગ 21 કેસ નોંધાયા હતા.

આજે રાજ્યમાં 1 લાખ 64 હજાર 979ને રસી આપવામાં આવી છે. અત્યાર સુધી 96 લાખ 33 હજાર 415 લોકોને પ્રથમ ડોઝ અને 22 લાખ 89 હજાર 426 લોકોને બીજા ડોઝનું વેક્સિનેશન પૂર્ણ થયું છે. કુલ મળીને 1 કરોડ 19 લાખ 22 હજાર 841નું વેક્સિનેશન પૂર્ણ થયું છે. આજે રાજ્યમાં 60 વર્ષથી વધુ તેમજ 45થી 60 વર્ષની વયના કુલ 60 હજાર 26 વ્યક્તિઓને પ્રથમ ડોઝ અને 88 હજાર 549ને બીજા ડોઝનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એકેય વ્યક્તિને આ રસીના કારણે કોઈ ગંભીર આડઅસર જોવા મળી નથી.

રાજ્યમાં છેલ્લા 89 દિવસથી નવા દર્દીની સંખ્યા વધુ અને ડિસ્ચાર્જ થનારા દર્દીની સંખ્યા ઓછી નોંધાઇ રહી છે. અગાઉ 20 ફેબ્રુઆરીએ નવા દર્દી કરતા સાજા થનારની સંખ્યા વધારે હતી. રાજ્યમાં અત્યાર સુધીમાં 5 લાખ 53 હજાર 172ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 7,010 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 4 લાખ 8 હજાર 368 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 1,37,794 એક્ટિવ કેસ છે, જેમાંથી 572 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 1,37,222 દર્દીની હાલત સ્થિર છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો