ગુજરાતમાં કોરોનાનો કેસમાં આંશિક ઘટાડો: છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 14120 કેસો નોંધાયા, 174 લોકોના કોરોનાથી મોત, 8595 દર્દીઓ સ્વસ્થ થયાં

ગુજરાતમાં સતત બેકાબૂ બનેલાં કોરોના સંક્રમણ વચ્ચે એક આશાનું કિરણ દેખાઈ રહ્યું છે. રાજ્યમાં હવે કોરોના કેસમાં ઘટાડો જોવા મળ્યો છે. રાજ્યમાં છેલ્લા બે-ત્રણ દિવસથી કોરોનાનાં કેસો 14300ની આસપાસ હતા. ગત રોજ કોરોનાનાં 14352 કેસ હતા અને 170 દર્દીનાં મોત હતા. જ્યારે આજે રાજ્યમાં કોરોનાનાં 14120 કેસો નોંધાયા છે. અને 174 દર્દીઓનાં મોત નિપજ્યા છે. આમ કોરોના કેસમાં આજે 232 કેસોનો ઘટાડો જોવા મળ્યો છે. આજે રાજ્યમાં 8595 દર્દીઓ સાજા થયા હતા. જ્યારે 1,35,256 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું.

રાજ્યમાં કોરોના કેસોનો કુલ આંક 5,38,845 પર પહોંચી ગયો છે. જ્યારે કુલ 3,98,824 દર્દીઓ સાજા થયા છે. અને હાલ રાજ્યનો રિકવરી રેટ ઘટીને 74.01 પર આવી ગયો છે. હાલ રાજ્યમાં કુલ એક્ટિવ કેસોનો આંક 1,33,191 પર પહોંચ્યો છે. જેમાંથી 421 દર્દીઓની હાલત ગંભીર છે. અને 1,32,770 દર્દીઓની હાલત સ્થિર છે. અને અત્યાર સુધી કુલ 6830 લોકોનાં મોત નિપજ્યા છે.

અમદાવાદમાં નવા 5740 કેસ, 26નાં મોત, સુરતમાં નવા 2116 કેસ, 19નાં મોત, વડોદરામાં નવા 858 કેસ, 16નાં મોત, જામનગરમાં 721 કેસ, 25નાં મોત, રાજકોટમાં નવા 434 કેસ, 15નાં મોત, ભાવનગરમાં 385 અને ગાંધીનગરમાં 324 કેસ, જૂનાગઢમાં 237 અને મહેસાણામાં 491 કેસ, સુરેન્દ્રનગરમાં 251 અને બનાસકાંઠામાં 233 કેસ, કચ્છમાં 183, દાહોદમાં 181, પાટણમાં 180 કેસ, મહિસાગરમાં 155, નવસારીમાં 140, ખેડ઼ામાં 139 કેસ, તાપીમાં 138, અમરેલીમાં 137, ગીર સોમનાથમાં 128 કેસ, ભરૂચ – પંચમહાલમાં 123 – 123, વલસાડમાં 119 કેસ, આણંદમાં 109, અરવલ્લીમાં 94, સાબરકાંઠામાં 84 કેસ, મોરબીમાં 74, નર્મદામાં 61, છોટાઉદેપુરમાં 58 કેસ, દ્વારકામાં 41, પોરબંદરમાં 34, ડાંગમાં 19, બોટાદમાં 10 કેસ નોંધાયા છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો